અધિકારી એન. કે. મીનાએ મહાપાલીકામાં હાજર થઈ સંભાળ્યો કમિશ્નરનો ચાર્જ

  • April 16, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાપાલિકામાં આજે બુધવારે રનવા કમિશનર તરીકે ડો. એન.કે.મીનાએ ચાર્જ સંભાળ્યો છે.અઢી માસના લાંબા ગાળા બાદ ભાવનગર મહાનગર પાલિકાને રેગ્યુલર કમિશ્નર મળ્યા છે.
પૂર્વ કમિશ્નરની બદલી થતાં અને તેમણે તા.૩-૨-૨૦૨૫ના રોજ ચાર્જ છોડતા તેમનો ચાર્જ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીને સોંપવામાં આવ્યો હતો.આખરે ભાવનગર મહાપાલિકાના કમિશ્નર પદે સરકારે ડો.એન. કે. મીનાની  નિયુકિત કરતા હવે અઢી માસ બાદ ભાવનગર મહાનગરપાલિકાને રેગ્યુલર કમિશ્નર મળ્યા છે અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો છે.
કમિશ્નર મીના વર્ષ ૨૦૧૦ બેન્ચના આઈએએસ છે અને તેઓએ જુદા જુદા વિભાગમાં ફરજ બજાવી છે. હાલ તેઓ મત્સ્યોદ્યોગ નિયામક, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતાં.છેલ્લા અઢી માસથી ભાવનગર મહાપાલિકામાં કાયમી કમિશનર નથી. આથી ઇન્ચાર્જ કમિશનરથી કામગીરી ચલાવવામાં આવતી હતી. જેના કારણે કામગીરીમાં ઘણી મૂશ્કેલીઓ પણ પડતી હતી.હવે આજે તા ૧૬ એપ્રિલને બુધવારે નવા કાયમી કમિશનર મળતા  જિલ્લા વિકાસ અધિકારી  વધારાના ચાર્જમાંથી મુક્ત થયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application