બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યેા છે કે એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જે હજારો કિલોમીટર દૂર બેઠેલા લોકોને સ્પર્શનો અહેસાસ આપી શકે છે. આ નરમ આંગળીનું ઉપકરણ માનવ સ્પર્શની અનુભૂતિની નકલ કરે છે. તેનાથી અલગ રહેતા લોકોને એકબીજાનો હાથ પકડવાનો અનુભવ થઈ શકે છે.
નેચર જર્નલમાં પ્રકાશિત યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકો દ્રારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ઉપકરણને બાયોઈન્સપાયર એડપ્ટેબલ મલ્ટિપ્લાનર હેપ્ટિક સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. તે ચેતા કોષોને સક્રિય કરે છે જે સ્પંદન દ્રારા સ્પર્શને પ્રતિભાવ આપે છે. સંશોધકોનો દાવો છે કે ઉપકરણ વાસ્તવિક જીવનના સ્પર્શ જેવું લાગે છે. વૈજ્ઞાનિકો હાલમાં તેનો ઉપયોગ એ સમજવા માટે કરી રહ્યા છે કે જે દર્દીઓની આંગળીઓમાં સંવેદનશીલતા ઘટી છે તેઓ સમય જતાં સ્પર્શની અનુભૂતિ કેવી રીતે ગુમાવે છે. આ ઉપકરણ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી થઈ શકે છે, જેમને સ્પર્શની અનુભૂતિ ગુમાવવાનું જોખમ હોય છે.
યુસીએલના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના રોબોટિકસ નિષ્ણાત ડો. સારાહ અબાદ, જે સંશોધનમાં સામેલ હતા, કહે છે કે સ્પર્શને ઉપકરણ દ્રારા વચ્ર્યુઅલ સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓમાં સામેલ કરી શકાય છે. સામાજિક જોડાણમાં સ્પર્શ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સુવિધા વીડિયો કોલ દ્રારા ઉપલબ્ધ નથી. પરિવારથી દૂર રહેતા લોકો માટે ઉપકરણ નવા પરિમાણો ખોલી શકે છે.
આ ઉપકરણ સિલિકોન ફિંગરટિપ સાથે ફીટ થયેલ છે. તે નાના સૂટકેસના કદના મશીન સાથે જોડાયેલ છે. આંગળીના ટેરવામાં ચાર મુખ્ય ચેતા કોષો અથવા સ્પર્શ રીસેપ્ટર્સને સક્રિય કરે છે. સંશોધકોનું માનવું છે કે આ ઉપકરણ સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને જેઓ મેટાકાર્પલ ટનલ સિન્ડ્રોમથી પીડિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech