હવે માતા-પિતા બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે, નવો નિયમ આ તારીખથી થશે લાગુ

  • May 18, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને લઈને સેબી દ્વારા નવો નિયમ જારી કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ, હવે માતાપિતા તેમના બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે. હવે માતા-પિતા તેમના પોતાના ખાતામાંથી તેમના બાળકોના નામે સરળતાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે. તેના માટે હવે જોઈન્ટ એકાઉન્ટ કે સગીર બાળકોનું ખાતું ખોલાવવાની જરૂર નથી. સેબીએ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.


સેબીના પરિપત્રમાં જણવ્યું છે કે, સગીરોના નામે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ સગીર, માતા-પિતા અને સંયુક્ત બેંક ખાતામાંથી કરી શકાય છે. તેમજ માર્કેટ રેગ્યુલેટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સગીરના નામે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાયેલા પૈસા ઉપાડવા પર, પૈસા ફક્ત સગીરના વેરિફાઈડ બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે.

આ નવો નિયમ 15 જૂન 2023થી લાગુ થશે. સેબીએ તમામ AMCsને નવા નિયમો અનુસાર રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપાડવાની સુવિધા માટે જરૂરી ફેરફારો કરવાની સલાહ આપી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application