હવે ૧૫ દિવસથી વધુ નહીં લાગુ કરી શકાય નેટબંધી, ગૃહ સચિવએ આપવું પડશે કારણ

  • August 31, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના ફોન ટેપિંગના નવા ડ્રાટ અનુસાર, કોઈ પણ ક્ષેત્રમાં ૧૫ દિવસથી વધુ નેટબંધી લાગુ કરી શકાય નહીં. નેટબંધી માટે ગૃહ સચિવને સ્પષ્ટ્ર કારણ અને વિસ્તાર બતાવવા પડશે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ અસ્થાયી ટેલિકોમ સેવા સસ્પેન્શન નિયમ ૨૦૨૪ના ડ્રાટ પર લોકો પાસેથી આપત્તિ અને ઉકેલ માંગવામાં આવ્યા છે.
ડ્રાટ અનુસાર, ટેલિફોનિક સેવાઓ અને સસ્પેન્ડ કરવાના નિર્દેશ કેન્દ્ર સરકારના મામલામાં કેન્દ્રીય ગૃહ વિભાગના પ્રભારી અને રાય સરકારના સચિવ આપી શકશે. જો કે, અનિવાર્ય સંજોગોમાં સક્ષમ અધિકારી સસ્પેન્ડ આદેશ જાહેર કરવામાં અસમર્થ છે તો કેન્દ્રના સંયુકત સચિવ સ્તરના અધિકારી આ આદેશ આપી શકે છે. ડ્રાટમાં કહેવામાં આવ્યું કે, દૂરના ક્ષેત્રો અથવા આકસ્મિક સ્થિતિમાં પોલીસ મહાનિરીક્ષક સ્તરના અધિકારીઓ પણ ટેલિફોનિક સેવાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી શકે છે. આ આદેશ કોઈ પણ અધિકારી દ્રારા જાહેર કરવામાં આવે તો ૨૪ કલાકમાં સક્ષમ અધિકારી પાસેથી પુષ્ટ્રી કરાવી પડશે, નહીં તો આ આદેશ રદ્દ થઈ જશે.


કમિટી કરશે સમિક્ષા
ડ્રાટ અનુસાર, ટેલિફોનિક સેવાઓના સસ્પેન્ડના આદેશમાં કારણ અને ભૌગોલિક ક્ષેત્રનો સ્પષ્ટ્ર રીતે ઉલ્લેખ કરવો પડશે. આદેશ આપ્યાના પ્રતિ ૨૪ કલાકમાં સંબંધિત સમીક્ષા સમિતિને મોકલવામાં આવશે. આ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કેબિનેટ સચિવ હશે. ત્યાં જ કેન્દ્ર સરકારના સચિવ, વિવિધ કાર્ય વિભાગ અને ટેલિફોનિક વિભાગના સચિવ પણ સમિતિમાં સામેલ હશે. આ સમિતિ આદેશ જાહેર થવાના ૫ દિવસમાં બેઠક કરી આદેશોની સમીક્ષા કરશે. તે બાદ સમિતિ ઈચ્છે તો આદેશ રદ્દ કરી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application