હવે દેશના તમામ એમબીબીએસ ડોકટરોને મળશે વિશિષ્ટ ઓળખ

  • September 18, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ મેડિકલ કમિશનએ દેશના તમામ એમબીબીએસ ડોકટરોને અનન્ય ઓળખ આપવાનો નિર્ણય કર્યેા છે. આ માટે, પોર્ટલ શ કરીને તમામ પાત્ર એમબીબીએસ ડોકટરોની નોંધણીની પ્રક્રિયા શ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ રજિસ્ટર (એનએમઆર) માં નોંધણી તમામ ડોકટરો માટે ફરજિયાત રહેશે. નોંધણી માટે, તેઓએ એમબીબીએસ પ્રમાણપત્ર, એનએમસી નોંધણી અને આધાર કાર્ડ પ્રદાન કરવું પડશે. આ પોર્ટલ નેશનલ મેડિકલ કમિશન દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. એનએમસી એ તાજેતરમાં કહ્યું હતું કે ભારતીય મેડિકલ રજિસ્ટર પર નોંધાયેલા તમામ એમબીબીએસ ડોકટરોએ એનએમઆર પર ફરીથી નોંધણી કરાવવી પડશે. અન્ય ડેટા માત્ર એનએમસી , એસએમસી, નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન (એનબીઈ), મેડિકલ સંસ્થાઓ અને એથિકસ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડને જ દેખાશે. એનએમસી અનુસાર, નોંધણી માટે અરજી કર્યા પછી, તેને સંબંધિત એસએમસી (સ્ટેટ મેડિકલ કમિશન)ને ચકાસણી માટે મોકલવામાં આવશે. ત્યાંથી તેને સંબંધિત કોલેજ અથવા સંસ્થાને સમીક્ષા માટે મોકલવામાં આવશે. કોલેજ અથવા સંસ્થા તરફથી વેરિફિકેશન કર્યા બાદ અરજી એનએમસીને મોકલવામાં આવશે. એનએમસી દ્રારા વેરિફિકેશન બાદ એનએમઆર આઈડી જારી કરવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા દરમિયાન, ડોકટર્સ હેલ્થકેર પ્રોવાઈડર રજિસ્ટ્રીમાં જોડાવાનું પસદં કરી શકે છે, જે તેમને ડિજિટલ હેલ્થકેર ઈકોસિસ્ટમ સાથે જોડશે.


નેશનલ મેડિકલ કમિશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અમારી પાસે એવો કોઈ ડેટા નથી જે જણાવી શકે કે દેશમાં કેટલા ડોકટરો છે. અમારી પાસે અંદાજિત સંખ્યા છે. આ પ્રક્રિયા પછી અમારી પાસે સાચો ડેટા હશે. કેટલા ડોકટરોએ દેશ છોડી દીધો, કેટલા લાયસન્સ કેન્સલ થયા, કેટલા ડોકટરોએ જીવ ગુમાવ્યા તે પણ જાણવામાં આવશે. એક અનુમાન મુજબ ૧૩ લાખથી વધુ ડોકટર તેમાં જોડાઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application