જામનગરમાં કોલેરાગ્રસ્ત વિસ્તાર અને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર માટેનું જાહેરનામું પરત ખેંચાયું

  • August 09, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસાર જિલ્લા કલેકટર કચેરી દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અંગે તથા તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા અંગેનું જાહેરનામું એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે ગત માસમાંં બહાર પાડવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર તરફથી મળેલ તાજેતરના અહેવાલ અનુસાર હવે જણાવેલ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો નિયંત્રણમાં આવી ગયો છે. તેથી આ જાહેરનામું વધુ સમય માટે અમલમાં રાખવાની જરૂરિયાત ન હોય તે જાહેરનામું પરત લેવા અંગે દરખાસ્ત કરવામાં આવી છે. જે દરખાસ્ત અનુસાર જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉપરોક્ત જણાવેલ વિગતે બહાર પાડવામાં આવેલું જાહેરનામું પરત ખેંચવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application