મહુઆ મોઇત્રાને સરકારી બંગલો તાત્કાલિક ખાલી કરી દેવા નોટિસ

  • January 17, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તૃણમૂલ કોંગ્રેસના નેતા મહત્પઆ મોઇત્રાની મુસીબતો અટકી રહી નથી. પહેલા તેમને લાંચ લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવા બદલ લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે તેમને તાત્કાલિક સરકારી બંગલો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. ટીએમસી નેતાને પહેલા જ બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી, ૮ જાન્યુઆરીએ, એસ્ટેટ ડિરેકટોરેટે તેમને નોટિસ પાઠવી અને ૩ દિવસમાં બંગલો ખાલી ન કરવા માટેનું કારણ પૂછયું.મંગળવારે, એસ્ટેટ ડિરેકટોરેટે મહત્પઆ મોઇત્રાને બીજી નોટિસ જારી કરીને તેને તાત્કાલિક સરકારી બંગલો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ બંગલો તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો હતો. સાંસદ પદના ગયા બાદ તેની ફાળવણી પણ રદ કરવામાં આવી હતી.

મહત્પઆ મોઇત્રાને ૮ ડિસેમ્બરે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, તેણીને મંગળવારે બંગલો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. હવે એસ્ટેટ ડિરેકટોરેટના અધિકારીઓની એક ટીમ એ સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવશે કે સરકારી બંગલો વહેલી તકે ખાલી કરવામાં આવે. મહત્પઆને ગયા વર્ષે ૮ ડિસેમ્બરે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવી હતી. અગાઉ, મોઇત્રાની ફાળવણી રદ કરવામાં આવી હતી અને તેને ૭ જાન્યુઆરી સુધીમાં બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું.

મહત્પઆ 'અનૈતિક આચરણ' માટે દોષિત મહત્પઆ મોઇત્રાને ગયા વર્ષે ૮ ડિસેમ્બરે ઉધોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે મોંઘી ભેટ સ્વીકારવા અને સંસદની વેબસાઈટનો 'યુઝર આઈડી અને પાસવર્ડ' તેમની સાથે શેર કરવા બદલ 'અનૈતિક આચરણ' માટે દોષી ઠેરવવામાં આવી હતી અને સંસદમાંથી કાઢી મુકવામાં આવી હતી. હવે મહત્પઆને સરકારી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application