પોરબંદર સહિત રાજ્યભરમાં વર્ષો પહેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા મકાન અને ફલેટ બનાવી આપવામાં આવ્યા હતા.પોરબંદરમાં કમલાબાગ પાસે અને છાયાચોકીથી બીરલા તરફ જતા રસ્તે આ પ્રકારના રહેણાંક આવેલા છે જે અત્યંત જર્જરિત થઇ ગયા છે તેથી ત્યાંનો વસવાટ સત્વરે બંધ કરાવવા જાહેર સૂચના અને નોટીસ આપવામાં આવ્યા છે અને કોઇપણ ઘટના ઘટે તો તેની સ્થાનિક રહેવાસીની જવાબદારી રહેશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ પોરબંદર મહાનગરપાલિકા પાસે આ અંગે કોઇ જ જાણકારી નહી હોવાનું સામે આવ્યુ છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટના કાર્યપાલક ઇજનેર તથા જાગીર વ્યવસ્થાપક દ્વારા જાહેર નોટીસ પાઠવીને એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત હાઉસીંગ બોર્ડની રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, જમનગર, જુનાગઢ, ગિરસોમનાથ, બોટાદ જિલ્લાની જૂની અને પ્રાથમિક દ્રષ્ટિએ જર્જરિત ગણાતી યોજનાઓમાં બોર્ડના એકટ પ્રમાણે એકવાર મકાન/ ફલેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે ત્યારબાદ રીનોવેશન, રીપેરીંગની કામગીરી જે તે મકાન ધારક દ્વારા જ કરવાની રહે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ એકટની કલમ-૭૫ મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવાયેલ અને રાજ્ય સરકારે મંજુર કરેલ રેગ્યુલશેન મુજબ રીપેરીંગ અને મેઇન્ટેનન્સની જવાબદારી લાભાર્થીઓ/ એશોસીએશનની જ રહે છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની રહેતી નથી. જે વિગત આપના એસોસીએશનની રચના સમયે થયેલ બંધારણની જોગવાઇઓને સુસંગત છે.
જી.ડી.સી.આર-૨૦૦૪ મુજબ બિલ્ડીંગ મેન્ટેનન્સ સમયાંતરે માલિક દ્વારા જ કરવાનું રહે છે. તેમજ બી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ સેકશન-૨૬૮ મુજબ પાવર ઓફ કમિશ્નર ટુ વેકેટ એની બિલ્ડીંગ સર્ટેઇન સરકમસ્ટાન્સીસ ઇફ ધ બીલ્ડીંગ ઓર પાર્ટ ધેરઓફ ઇઝ ઇન એ રુઇન્સ ડેન્જરસ કંડીશન વીધીન મીનીંગ ઓફ સેકશન-૨૬૪ જી.પી.એમ.સી. એકટ મુજબ સત્તાની એ સ્થાનિક સત્તામંડળ જો આપની યોજના અત્યંત જર્જરિત અને ભયજનક જણાતી હોય તો તેઓને તુરંત જાણ કરી તુરંત વસવાટ બંધ કરી શકે છે.
જેથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ સંભવિત જાનહાનિ ટાળી શકાય. જે મુજબ રાજકોટ શહેરી ડેરીલેન્ડ ખાતેની ૪૫૬ એલ.આઇ.જી. આકાશદીપ આવાસ, ૧૨૦ એમ.આઇ.જી. (જૂના), ૪૮ મીગ, ૧૨૦ મીગ (નવા) તથા ૧૪૪ એલ.આઇ.જી. લક્ષ્મીવાડી કોલોની તથા હસનવાડી ખાતેની કોલોની તથા આનંદનગર ખાતેની ૪૮ ઇ.ડબલ્યુ એસ. ગ્રૃપ-સી, ૨૪ ઇ.ડબલ્યુ. એસ. ગૃપ-બી, ૨૪ ઇ.ડબલ્યુ. એસ. ગ્રુપ- એ, ૭૨ ફલડ, ૧૪૪ફલડ, ૩૦૭ હુડકો, ૧૪૪ ઇ.ડબલ્યુ.એસ.,૪૮ એસ.આઇ.ટી., પોરબંદર શહેરની કમલાબાગ ખાતેની ૧૨૦ એલ.આઇ.જી અને રાજમહેલ રોડ ખાતેની ૨૪ એસ.આઇ.ટી. સુરેન્દ્રનગર શહેરની ૧૦૮ એમ.આઇ.જી. કૃષ્ણનગર કોલોની, જૂનાગઢ શહેરની હવેલીવાળી કોલોની, મોરબી શહેરની સનાળા રોડ ખાતેની ૪૯૮ એમ.આઇ.જી. કોલોની તથા જેતપુર શહેરની ૧૪૪ એલ.આઇ.જી. તાફૂડીપરા અને ૨૪ એસ.આઇ.ટી. તથા વેરાવળ શહેરની ૨૪ એસ.આઇ.ટી. ભાલકા કોલોની તથા ગાંધીધામ શહેરની ૫૧૨ કે.એફ. ટી.ઝેડ કોલોની વગેરેમાં આવેલ જર્જરિત મકાનોમાં વસવાટ સત્વરે બંધ કરવા જણાવવામાં આવે છે. અને જો તેમ છતાં પણ વસવાટ બંધ નહી કરવામાં આવે તેમજ રહેણાંક આવાસમાં અનઅધિકૃત કોમર્શીયલ વપરાશથી જો કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે તેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ, સરકારની કોઇ જવાબદારી રહેશે નહીં જેની નોંધ લેવા વિનંતિ.
વધુમાં જણાવવાનુ કે આવા ખાલી કરેલ ખાલી કરાવવાના થતાં મકાનોના સામે બોર્ડના એકટમાં કોઇ વૈકલ્પિક વ્યવસ્થા તેમજ મરામત અને જાળવણીની જોગવાઇ નથી પરંતુ જો યોજનાઓના નિયત સંખ્યામાં લાભાર્થીઓ સંમત થાય તો સરકાર રીડેવલપમેન્ટ પોલીસી અનુસાર અત્રેથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે માટે જે તે યોજના એસોસીએશનના પ્રમુખ, જવાબદાર પ્રતિનિધિઓને અત્રેની કચેરીનો બ સંપર્ક કરવા વિનંતિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech