રાજય સરકાર દ્રારા નવી જંત્રીના અમલ પૂર્વે વિવિધ ટેક હોલ્ડર પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે રાયભરમાંથી ૫૩૦૦ થી વધુ રજૂઆત આવતા ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે બપોર બાદ મળેલી બેઠક માં હવે જંત્રી વધારાના સૂચનો માટે મુદત વધારો કરવામાં સરકારનો બિલકુલ મૂડ ન હોવાનું સ્પષ્ટ્ર લાગી રહ્યું છે.સરકાર દરખાસ્ત પર સૂચનો અથવા વાંધાઓ સબમિટ કરવાની સમયમર્યાદા ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમા આ વાંધાઓની સંખ્યા ૧૦,૦૦૦ થી વધુ થવાની સંભાવના છે.
રાયના મહેસૂલ વિભાગની બેઠકમાં અગ્ર સચિવ મહેસુલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જંત્રી દરોમાં સૂચિત નોંધપાત્ર વધારા અંગે વિવિધ હિતધારકો પાસેથી મળેલા વાંધાઓ અને સૂચનોની ખાસ ચકાસણી કરી હતી. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ૫,૩૦૦થી વધુ વાંધા અને સૂચનો મળ્યા છે. અન્ય મહેસૂલ વિભાગની બાબતોની સાથે, મુખ્યમંત્રી, જેઓ મહેસૂલ પોર્ટફોલિયો પણ ધરાવે છે, તેમણે સૂચિત નવા જંત્રી દરો માટે મળેલા વાંધા અને સૂચનોની તપાસ કરી. અત્યાર સુધીમાં, લગભગ એક મહિનામાં, ચોક્કસ રીતે ૫,૩૦૨ વાંધાસૂચનો ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો દ્રારા પ્રા થયા છે તેમ છતાં, સરકારની અપેક્ષા છે કે કુલ સબમિશન ૨૦ જાન્યુઆરી સુધીમાં બમણી થઈ શકે છે. સરકાર ૨૦ જાન્યુઆરીથી વધુ સમયમર્યાદા લંબાવવાનો ઇરાદો ધરાવતી નથી કારણ કે બે મહિના પૂરતો સમયગાળો આપવામા આવયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગની રજૂઆતો સૂચિત વધારા સામે વાંધો છે. રિયલ એસ્ટેટ એસોસિએશનો તરફથી વધારાના સૂચનો પણ પ્રા થયા છે. સરકારી અધિકારીઓને હાલના સબમિશન પર પ્રક્રિયા કરવા અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે તેની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. અમને ફકત ૪૦૦ આફલાઇન સૂચનો મળ્યા છે કારણ કે આ વિકલ્પને માત્ર ગયા અઠવાડિયે જ મંજૂરી આપવામાં આવી હતી. જો કે, અમે વધારાની આફલાઇનની અપેક્ષા રાખીએ છીએ. આગામી દિવસોમાં ડેટા પ્રોસેસિંગ માટે ૨૦ જાન્યુઆરી પછી ઘણા દિવસોની જર પડી શકે છે. સરકાર તપાસ કર્યા પછી અંતિમ નિર્ણય લેશે તેવી અપેક્ષા છે વાંધા અને સૂચનોની તમામ શ્રેણીઓ માથી મળ્યા છે.સરકારે આજે ગાંધીનગરમાં કલેકટર અને ડીડીઓની કોન્ફરન્સનું આયોજન કયુ છે, જેમાં નવા જંત્રી દરો અંગે પ્રતિસાદ પણ માંગવામાં આવે તેવી સંભાવના છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech