આગામી તા. ૩૧ માર્ચના રોજ જામનગરના નાગેશ્વર કોલોની ખાતે કોળી સમાજનો નવમો સમુહ લગ્ન સમારોહ યોજાશે: શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) - જામનગર દ્વારા આયોજીત નવમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) - જામનગર દ્વારા આઠ - આઠ સમુહ લગ્નોનુ ભવ્ય સફળ આયોજન બાદ નવમાં સમુહ લગ્નનુ ભવ્યાતિભવ્ય સુંદર આયોજન. આ સમુહ લગ્ન સમારોહ આગામી તા. ૩૧/૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા ગુરૂ આશ્રમ બાપા સીતારામ મંદિર પાસે ની જગ્યામાં યોજાશે. આ સમુહ લગ્ન સમારોહમાં ૧૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ તકે સંતો - મહંતો અને સામાજિક - રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ સમુહ લગ્ન સમારોહમાં દાતાશ્રીઓ દ્વારા ખુલ્લા મન થી ખુબ સારૂ યોગદાન કરવામાં આવ્યું છે. વધુમાં આ સમુહ લગ્ન સમારોહમાં જ્ઞાતિ સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઊપસ્થિત રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech