હળવદ તાલુકાના દેવળીયા પાસે મોડી રાત્રિના ગાંધીનગરથી કચ્છ તરફ દર્શને જતા ખાનગી લકઝરી બસ ૫૬ લોકોને ભરીને કચ્છ તરફ જતી ખાનગી બસ પલટી મારી જતાં ૯ લોકોને ઈજાગ્રસ્તોને મોરબી રીફર કરવામાં આવ્યા હતા. ખાનગી લકઝરી બસ પલટી મારે જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ગાંધીનગર અડાલજા થી કચ્છમાં માતાનો મઢે દર્શને જઈ રહ્યા હતા ત્યારે હળવદ માળિયા હાઇવે પર આવેલ દેવળીયા પાટીયા પાસે ડ્રાઇવર એ અચાનક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફર પૈકી નવ લોકોને ઈજા થઈ હતી જેઓનેે સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા યારે અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી નેશનલ હાઈવે ઓથોરિટી ૧૦૮ ઈમરજન્સી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજા ગ્રસ્તોને મોરબી રીફર કરવામાં આવ્યા હતા. બસ પલટી ખાઈ જતા થોડીવાર માટે ચિચારીયો ગુંજી ઉઠી હતી.દેવળીયા પાસે રાત્રે ૧–૩૦ વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો,અડાલજ અને ગાંધીનગરથી ધાર્મિક સ્થળ પર ફરવા જતા ૫૬ લોકો લકઝરી બસમાં સવાર હતા જેને અકસ્માત નડો હતો,ગાંધીનગરથી માતાનામઢ જતી ખાનગી બસના ડ્રાઇવર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી, અકસ્માતના પગલે બસમાં સવાર નવ ઈજાગ્રસ્તો પટેલ રાજેશભાઈ, દીનાબેન, બાજાજી સોમાજી, શારદાબેન, બાબુભાઈ, રહિબેન, મંગુબેન શિવાજી, હત્પલીબેન, મનજીબેન પ્રતાપભાઈને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech