રાજકોટ ખાતે પોરબંદરના શિવકથાકારના વ્યાસાસને યોજાયેલી નવ દિવસીય શિવકથાનું સમાપન થયુ છે.
શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને દશનામ ગોસ્વામી સમાજ ભવનના નિર્માણ અર્થે શ્રી દશનામ ગોસ્વામી શિવશક્તિ સેવા મંડળ રેલનગર રાજકોટ દ્વારા આયોજિત શિવકથાએ વિરામ લીધો હતો.
દશનામ ગોસ્વામી શિવશક્તિ સેવા મંડળ આયોજિત શિવકથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેનો વિરામ થયો. આ શિવકથા દરમિયાન શિવ વિવાહ, નવદુર્ગા પ્રાગટ્ય, શિવ તાંડવ જેવા ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. જેમાં નાની બાળાઓ એ ભાગ લીધો હતો.
આ શિવકથા દરમિયાન નવ દિવસ સુધી મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. જેનો લાભ હજારો શિવભક્તોએ લીધો હતો. આ શિવકથા શ્રવણ નો લાભ હજારો લોકો એ લીધો હતો. જુદા જુદા ૬૨ થી વધારે મહિલા મંડળો ને અલગ અલગ ૪૪ સંસ્થા ઓ દ્વારા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીનુ સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રમુખશ્રી કાળુબાપુનુ સન્માન કરવામાં આવ્યું હતુ.
આ શિવકથા એ દશનામ ગોસ્વામી સમાજ બનાવવા માટે કરવામાં આવી હતી.
વિડિયો શુટીંગ તથા લાઈવ નો તમામ ખર્ચ શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતગિરી ગોસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો.
શિવકથા દરમિયાન ખરેડી મહંતશ્રી, ચોટીલા મહંતશ્રી તથા પરીવાર, દડવા રાંદલ માતાજીના મહંતશ્રી તથા પરીવાર, મહંતશ્રી રાધેશ્યામબાપુ, મહંતશ્રી ભુપતગીરિ, મહંતશ્રી જયદેવગીરીબાપુ, મહંતશ્રી પ્રકાશગીરીબાપુ, મહંતશ્રી કીરીટગીરીબાપુ, ભગવા ગ્રુપના અધ્યક્ષ હસુબાપુ, પ્રેમગીરીબાપુ, પી.ડી.ગોસ્વામી, હીતુબાપુ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, જામનગર દ. ગા.ે સમાજ, ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલગીરી ગોસ્વામી જેવા અનેક સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ ના વડાઓ ને મહંતો એ શિવકથામાં હાજરી આપી હતી.
આ શિવકથાનુ સંપૂર્ણ આયોજન કાળુગીરીબાપુ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ અજયવન તથા જયેન્દ્રભારથીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી શિવશક્તિ દશનામ ગોસ્વામી સમાજ ના સર્વે સભ્યો દ્વારા અથાગ મહેનત ને સાથ સહકાર આપ્યો હતો. સમગ્ર શિવકથાનું ઉદઘોષકનું કાર્ય વિશાલગીરી ગોસ્વામી દ્વારા સુંદર કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech