સિહોરનાં ટાણા રોડ પર આવેલ હરીહરબાપુનાં આશ્રમ પાસે રોડ સાઇડમાં આવેલ પાણીની ખુલ્લી વાલકુંડીમાં નીલગાય ખાબકતા મોત નિપજ્યું હતું. જેની જાણ ફોરેસ્ટ વિભાગને થતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમ તેમજ સિહોર નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેનના પ્રતિનિધિ દેવાભાઈ બુધેલીયા દ્વારા સ્થળ પર પહોંચી નીલગાયને ખુલ્લી વાલકુંડીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારની વાલકુંડી બાપુના આશ્રમ પાસે આવેલી હતી તે કુંડી ખુલ્લી હોય જે કુંડીની અંદર બે નીલ ગાય એક સાથે અંદર પડી હતી જેમાં એકનું મોત થયું હતું અને એકને બચાવી લેવામાં આવી હતી. આજુબાજુના લોકો દ્વારા તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે સિહોર નગરપાલિકાની પાણીની વાલ કુંડી ની અંદર બે નીલ ગાય ના બચ્ચા અંદર પડી ગયા હતા અને તેને બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. અગાઉ આ અંગે રજુઆત કરી વાવકુંડી બંધ કરવા માંગણી કરવામાં આવતા નગરપાલિકા દ્વારા યોગ્ય કરવા ખાતરી અપાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMતળાજામાં દુકાનમાંથી વિદેશી દાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
June 07, 2025 02:18 PMટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો તણાવ ઘટાડવા રિપબ્લિકન સાંસદો-નેતાઓનો અનુરોધ
June 07, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech