આજે (22 ઓગસ્ટ) કેરળની રાજધાની તિરુવનંતપુરમ સ્થિત એરપોર્ટ પર હંગામો થયો હતો. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા ત્યારબાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. હજુ સુધી પ્લેનમાંથી મુસાફરોને બહાર કાઢવાની માહિતી સામે આવી નથી. જો કે બોમ્બના સમાચારને પગલે સમગ્ર એરપોર્ટ પર અરાજકતાનો માહોલ છે.
એરપોર્ટ પરથી કહેવામાં આવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ 657 તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ થઈ છે. બોમ્બના સમાચાર બાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હાલ વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવશે. એરક્રાફ્ટને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યા હોવાથી અન્ય એરક્રાફ્ટને કોઈ ખતરો નથી. હાલ બોમ્બના સમાચાર અફવા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, કારણકે મોટાભાગના કિસ્સાઓમાં અફવા હોવાનુંબન્યું છે.
પાયલોટે બોમ્બના સમાચાર આપ્યા, પછી એરપોર્ટ પર ઈમરજન્સી લાદી
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વિમાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે જેથી બોમ્બને શોધી શકાય. મુંબઈ-તિરુવનંતપુરમ ફ્લાઈટના પાયલોટે એરપોર્ટ એર ટ્રાફિક કંટ્રોલને બોમ્બ હોવાની જાણકારી આપી હતી. આ પછી જ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જો કે એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 8.10 વાગ્યે તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, પરંતુ બોમ્બના સમાચારને જોતા તેને અહીં વહેલી લાવવામાં આવી હતી. સવારે 5.45 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી વિમાને ઉડાન ભરી હતી.
અહેવાલ મુજબ મુંબઈથી તિરુવનંતપુરમ આવતી ફ્લાઈટમાં કુલ 135 મુસાફરો છે. તે સ્પષ્ટ છે કે પાયલોટે બોમ્બ વિશે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી પરંતુ હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે પાયલોટને આ માહિતી ક્યાંથી મળી. પોલીસ તપાસ બાદ જ માહિતી સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech