રીબડામાં અમિત ખૂંટના આપઘાત કેસમાં નવો જ ધડાકો થયો છે. અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પુજા રાજગોરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પુજા અને સગીરાને નોકરીની લાલચ આપી સોશિયલ મીડિયાના માધ્યમથી અમિતનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં મિત્રતા કરી પ્રેમ સંબંધ કેળવી શરીર સંબંધ બાંધવા તેમજ બળાત્કારની ખોટી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.
સગીરાને બદલામાં તમારી લાઈફ બની જશે કહ્યું
સગીરાને બદલામાં તમારી લાઈફ બની જશે, સારામાં સારી નોકરી પણ મળી જશે તેવી ઓફર કરાવી હતી, પૂજા રાજગોર તેમજ તેની સાથે રહેલી 17 વર્ષીય સગીરાને પૈસાની જરૂરિયાત હોવાથી ખોટી ફરિયાદ કરવા બાબતે તૈયાર થયા હતા. ફરિયાદના સમયે વકીલ સંજય પંડિત તેમજ દિનેશ પાતર શરૂઆતથી અંત સુધી તમારી સાથે રહેશે તેવું પણ જણાવાયું હતું. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર, સગીરા તેમજ બંને વકીલોની અટકાયત કરવામાં આવી છે.
3 મે 2025ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
અમિત ખૂંટ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 મે 2025ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયાના બે દિવસ બાદ અમિતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખર્ચ કરવા માટે ઓછા પૈસા હોવાથી, ભારતના લોકોએ રોજિંદી જરૂરિયાતો ઓછી કરી : રિપોર્ટ
May 08, 2025 11:23 AMબ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
May 08, 2025 11:23 AMનીટ કૌભાંડ: રોયલ એકડમીના પેથાણીએ ચાર વાલીઓ પાસેથી પૈસા લીધાનું ખુલ્યું
May 08, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech