રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે નવી જણસીઓ ની કુલ ૪૭,૭૦,૦૦૦ કિલોથી વધુની આવક નોંધાઇ હતી તેમજ જણસીઓ લઇ આવેલા ખેડૂતોના ૧૨૫૦ વાહનોને યાર્ડમાં એન્ટ્રી અપાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે આજે નવી જણસીઓમાં ચણાની આવક ૮૦૦૦૦ મણ, તુવેરની આવક ૯૦૦૦ મણ, ઘઉંની આવક ૭૦૦૦૦ મણ, કપાસની આવક ૯૦૦૦ મણ, રાય અને રાયડાની આવક ૫૫૦૦ મણ,
મેથીની આવક ૧૧૦૦૦ મણ તેમજ મગફળીની આવક ૫૪૦૦૦ મણ થઇ હતી.આ તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી. હોળી-ધુળેટી પર્વની રજાઓ સુધી લગાતાર આવકો ચાલુ રહેશે ત્યારબાદ તહેવારોની રજા પછી આવક ઉત્તરોતર વધશે. સૌરાષ્ટ્રના અન્ય યાર્ડની સરખામણીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં વધુ ભાવ મળતા હોય રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકા ઉપરાંત રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો જણસીઓ વેંચવા માટે રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech