વિશ્વભરમાં લગભગ ચાર ટકા બાળકો ખોરાકની એલજીર્થી પીડાય છે. પ્રથમ વખત સંશોધકોએ બાળકોને ફડ એલજીર્થી બચાવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. તેઓ દાવો કરે છે કે તેને અનુસરીને બાળકોને એલર્જી પેદા કરતા ખોરાક પ્રત્યે સહનશીલતા વિકસાવવામાં મદદ મળી શકે છે.
પ્રા અહેવાલ મુજબ, કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ઓરલ ઇમ્યુનોથેરાપી દરમિયાન, તેઓએ બાળકોને મગફળી જેવા એલર્જેનિક ખોરાક ખૂબ ઓછી માત્રામાં આપ્યો. ધીમે ધીમે જથ્થો વધતો ગયો. એવું જાણવા મળ્યું કે બાળકોમાં તેમના પ્રત્યે સહનશીલતાનો વિકાસ થયો છે. અત્યાર સુધી, ડોકટરો પાસે મર્યાદિત પુરાવા આધારિત માર્ગદર્શિકા હતી.હવે નવી માર્ગદર્શિકા તેમને મદદ કરશે. તેઓ ખોરાકની એલજીર્થી પીડિત બાળકોની ઓરલ ઇમ્યુનોથેરાપી વધુ સારી રીતે કરી શકશે. મેકમાસ્ટર યુનિવર્સિટીના બાળરોગ ચિકિત્સક અને સંશોધનના મુખ્ય લેખક ડગ્લાસ મેક કહે છે કે આ પ્રક્રિયા પહેલા કયારેય પ્રમાણિત કરવામાં આવી નથી. અમને મૌખિક ઇમ્યુનોથેરાપી વિશે માર્ગદર્શનની સખત જરૂર છે.
માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ પરિવારોને ખોરાકની એલર્જી, એનાફિલેકિસસ (ગંભીર એલર્જી) અને ઇમ્યુનોથેરાપી વિશે શિક્ષિત કરવું જોઈએ. તેઓએ બાળકોને યોગ્ય રીતે કેવી રીતે ખવડાવવું તે પણ શીખવું જોઈએ.બાળકોને ધીમે ધીમે એલર્જેનિક ખોરાકના સંપર્કમાં આવવા જોઈએ.જે પરિવારોને ભૂતકાળમાં ફડ એલજીર્ની સમસ્યા હોય તેમણે બાળરોગ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ તેમના બાળકની ઓરલ ઇમ્યુનોથેરાપી કરાવવી જોઈએ.એલજીર્ક ખોરાક સાથે બાળકનો સંપર્ક જોખમી સ્તરે ન પહોંચે તેની કાળજી લેવી જોઈએ. આ સમયગાળા દરમિયાન, બાળકોમાં પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી આડઅસરો સામાન્ય છે.
સંશોધકો કહે છે કે યારે બાળકોની આસપાસ ઓછા જંતુઓ હોય છે, ત્યારે તેમની રોગપ્રતિકારક શકિત મગફળી અને દૂધ જેવી સામાન્ય વસ્તુઓ સામે કામ કરવાનું શ કરે છે. શાળામાં વિતરણ કરવામાં આવતા ટિફિન ખાવાથી બાળકોને ફડ એલજીનુ જોખમ પણ રહે છે. પીનટ એલર્જી બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વધુ જોવા મળે છે. ઘઉં, ઈંડા અને દૂધની એલર્જી એશિયામાં સૌથી વધુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech