ગુજરાતમાં સ્માર્ટ મીટર સંદર્ભમાં વિજ ગ્રાહકો ની ગેરસમજ દૂર કરવાના પગલે લેવાયેલા નિર્ણયો પૈકી હવે સ્માર્ટ મીટરમાં હવે અગાઉની જેમ જ માસિક બિલ તથા તે ભરપાઈ કરવા માટે સામાન્ય બિલની જેવીજ પ્રક્રિયા તથા તે મુજબની અવધિ ના વિકલ્પો ખુલ્લા મુકવામાં આવ્યા છે.
જેમાં સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઇચ્છુક હશે, તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે. જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય. સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજવપરાશના યુનિટ પોતાની મોબાઇલ એપ્લીકેશન પર જોઈ શકશે.
સ્માર્ટ મીટર ધારકને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પોતાની સ્માર્ટ મીટરની મોબાઇલ એપ્લીકેશન પર માસિક બીલ આપવામાં આવશે જેની ચુકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રીયા મુજબ નિયત સમય આપવામાં આવશે.
જે સ્માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્સમાં હશે, તો પણ તેને “ડિસ્કનેકશન” કરવામાં આવશે નહિ. અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે, તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વિજ તંત્ર દ્વારા આટલા નિયમો હળવા કરી ને વિજ ગ્રાહકોના હિત માં બદલાવ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech