શાપર વેરાવળમાં રહેતી મનોદિવ્યાંગ યુવતી પર હાલ શાપરમાં ભકિતધામ સોસાયટી પાસે રહેતા મૂળ એમ.પી ના જાંબવા ગામના શખસે દુષ્કર્મ આચયુ હતું.આ અંગે યુવતીની બહેનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરી નાસી ગયેલા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શાપરમાં રહેતી મૂળ એમ.પીની વતની ૩૫ વર્ષીય આદીવાસી મહિલાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપર વેરાવળમાં ભકિતધામ સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવાના વતની રાજુ શંકર વાસુનીયાનું નામ આપ્યું છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેનાથી નાની બહેન જે ૩૦ વર્ષની અને મનોદિવ્યાંગ છે.ગત તા.૧૮૧ ના રોજ બપોરના સમયે ફરિયાદી અને તેના પરિવારના સભ્યો કામ પર ગયા હતાં.ત્યારે ઘરે તેમની ૩૦ વર્ષીય બહેન એકલી હતી.દરમીયાન આ જ વિસ્તારમાં રહેતો આરોપી બપોરના સમયે અહીં ઘરે આવ્યો હતો અને તેને મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચયુ હતું.બાદમાં સાંજના સમયે ફરિયાદી તથા તેના પરિવારજનો ઘરે આવતા બહેનની હાલત શંકાસ્પદ જણાતા તેને પુછતા તે સ્પષ્ટ્રપણે કઇં કહી શકી ન હતી.બાદમાં પાડોશમાં રહેતો રાજુ વસુનીયા ઘરે આવ્યો હોવાનું માલુમ પડયું હતું અને ત્યાબાદ તેણે યુવતીની માનસિક હાલતનો લાભ ઉઠાવી એકલતામાં તેના પર દુષ્કર્મ આચયુ હોવાનું માલુમ પડયું હતું.
બાદમાં આ બાબતે પરિવાર સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદ કરવાનું નક્કી કયુ હતું અને આ અંગે શાપર વેરાવળ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.જેથી યુવતીની બેહનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.બીજી તરફ આરોપી રાજુ વાસુનીયા કુકર્મ આચરી નાસી ગયો હોય પોલીસે આરોપીને ઝડપી લેવા માટે શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech