મહાજન ટ્રસ્ટ તથા હરસિદ્ધિ ગરબા મંડળનું સુંદર આયોજન
ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓના સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત શ્રી હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માતાજીની આરાધના કરે છે.
આગામી તારીખ 12 સુધીના આ પરંપરાગત આયોજનમાં 5 થી 12 વર્ષ સુધીની રઘુવંશી બાળાઓ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ આયોજનમાં દરરોજ જલારામ બાપાના રાસ, માતાજીના સુંદર પહેરવેશ સાથે જુદા જુદા રાસ, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સમગ્ર આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળની સમગ્ર ટીમ દ્વારા લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ સુચારું આયોજનમાં અન્ય સ્થળોએથી પણ લોકો ગરબાને ઓનલાઈન નિહાળી શકે તે માટે ટેકનોલોજીનો સહારો લઇને યુ-ટ્યુબ લાઈવ પણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech