બેંક કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને 24 અને 25 માર્ચે હડતાળ પર રહેશે. બેંક યુનિયનોના સંયુક્ત મંચ, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ કહ્યું છે કે તેઓ આ બે દિવસ દરમિયાન દેશભરમાં હડતાળ પર રહેશે. આ સાથે, ૨૨મી તારીખે ચોથા શનિવારના કારણે અને ૨૩મી તારીખે રવિવારના કારણે બેંકો બંધ રહેશે. આનો અર્થ એ થયો કે દેશભરમાં બેંકો સતત 4 દિવસ બંધ રહેશે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથેની વાટાઘાટોમાં કોઈ સકારાત્મક પરિણામ ન મળ્યા બાદ UFBUએ આ નિર્ણય લીધો છે.
IBA સાથેની બેઠકમાં, UFBUના તમામ સભ્ય યુનિયનોએ તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસના કાર્યકારી સપ્તાહ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એન. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દાઓ હજુ સુધી વણઉકેલાયેલા છે.
UFBU જેમાં નવ બેંક કર્મચારી યુનિયનોનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી-નિર્દેશકની જગ્યાઓ ભરવા જેવી માંગણીઓને લઈને UFBUએ હડતાળનું એલાન કર્યું હતું. યુનિયનોએ તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ (DFS) દ્વારા કામગીરી સમીક્ષાઓ અને કામગીરી-સંબંધિત પ્રોત્સાહનો અંગે જારી કરાયેલા આદેશોને પાછા ખેંચવાની પણ માંગ કરી હતી.
તેમણે ચિંતા વ્યક્ત કરી કે, DFS આદેશો નોકરીની સુરક્ષા માટે ખતરો ઉભો કરશે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે જાહેર ક્ષેત્રની બેંકોમાં DFSનું સૂક્ષ્મ સંચાલન કોઈ બહાનું નથી. તેમણે કહ્યું કે આવી દખલગીરી બેંક બોર્ડની સ્વાયત્તતાને નબળી પાડશે.
આ ઉપરાંત, કર્મચારી યુનિયનોએ IBA સમક્ષ ગ્રેચ્યુઇટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરવા અને આવકવેરામાંથી મુક્તિ જેવી માંગણીઓ પણ રજૂ કરી છે. UFBUમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) જેવા મુખ્ય બેંક કર્મચારી સંગઠનોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech