ટ્રાફિક કચેરીમાં ભંગાર સામાન વચ્ચે લહેરાતો રાષ્ટ્રધ્વજ

  • February 05, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રાફિક કચેરીમાં ભંગાર સામાન વચ્ચે લહેરાતો રાષ્ટ્રધ્વજ તિરંગો એ આપણી દેશભકિતનું પ્રતિક છે. આ તિરંગાને ફરકાવવા માટેના કેટલાક ચોક્કસ નિયમ છે જેનું પાલન એ આપણો નાગરિક ધર્મ છે. પરંતુ રાજકોટમાં રૂડા બિલ્ડિંગ પાસે આવેલી ટ્રાફિક કચેરીમાં દેશભકિતને ઠેસ પહોંચાડતી તસવીર જોવા મળી રહી છે.અહીં કચેરીની ઇમારત પર તિરંગો લહેરવામાં આવ્યો છે.તેની આજુબાજુ ભંગાર ખડકી દેવામાં આવ્યો છે.ભંગાર વચ્ચે આ રીતે આ તિરંગો રાખવો એ એક પ્રકારે રાષ્ટ્રધ્વજના અપમાન સમાન છે.આ ગંભીર બાબતે હજુ સુધી કોઇ ઉચ્ચ અધિકારીનું ધ્યાન નહીં ગયું હોય? કે પછી આ બાબતને તેઓ ગંભીર ગણતા નહીં હોય? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.તસવીરમાં ટ્રાફિક કચેરીમાં ભંગાર સામાન વચ્ચે લહેરાઇ રહેલો રાષ્ટ્રધ્વજ નજરે પડે છે.                               



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application