નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

  • August 20, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ  કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.  શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની  પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર રક્ષાબંધન પર્વ તારીખ:૧૯-૦૮-૨૦૨૪ને  સોમવારના રોજ  કષ્ટભંજનદેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારીસ્વામી તથા શણગાર આરતી  શાસ્ત્રી સ્વામી  હરિપ્રકાશદાસ દ્વારા કરવામાં આવેલ.
પૂનમ નિમિત્તે સાંજે ૦૫:૩૦ કલાકે કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. હતું. દાદાને દિવ્ય રાખડીઓના વાઘા- રાખડીઓનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે ૭:૦૦ કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી  શાસ્ત્રી સ્વામી  હરિપ્રકાશદાસદ્વારા કરવામાં આવી હતી, હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application