નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે થઈ, નાગાર્જુને તેની પુત્રવધૂનું આ ખાસ રીતે કર્યું સ્વાગત

  • August 08, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગા ચૈતન્યએ આખરે શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. તેમની સગાઈની તસવીરો નાગાર્જુને શેર કરી છે. નાગાર્જુને બંનેને તેમની સગાઈ માટે અભિનંદન આપ્યા છે અને શોભિતાનું પરિવારમાં સ્વાગત પણ કર્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે  નાગા ચૈતન્યએ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો છે અને શોભિતાએ પીચ રંગની સાડી પહેરી છે. શોભિતાના હાથમાં હીરાની વીંટી પણ જોવા મળે છે.

ફોટા શેર કરતા નાગાર્જુને લખ્યું, 'અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે થઈ ગઈ છે. સગાઈ આજે સવારે 9.42 કલાકે થઈ હતી. અમે અમારા પરિવારમાં શોભિતાનું સ્વાગત કરીએ છીએ. આ પ્રેમી યુગલને અભિનંદન. બંનેને જીવનભર સુખ અને પ્રેમ મળે. ભગવાનના આશીર્વાદ હંમેશા તેમના પર રહે.
 
આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાગાચૈતન્યના બીજા લગ્નના સમાચાર આવ્યા હતા. જો કે, તે સમયે અભિનેતાના સ્ત્રોતે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. નાગા અને શોભિતા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ સમાચાર પર ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application