કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં મોદી સરકારની કરી ટીકા:" કહ્યું લોકશાહી ખતરામાં છે
કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભારતની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ભારતમાં સંસ્થાઓ સરકારી નિયંત્રણમાં હોવાની વાત કરી હતી. આ સાથે તેણે પોતાના ફોનની જાસૂસી થયાનો આરોપ લગાવ્યો હતો.
કેમ્બ્રિજમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં મીડિયા અને ન્યાયતંત્ર નિયંત્રણમાં છે. મારા ફોનની જાસૂસી પેગાસસ દ્વારા કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સ અધિકારીઓએ મને કહ્યું હતું કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મારી સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. તેમણે કહ્યું કે ભારતમાં નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારા ફોનમાં પણ પેગાસસ હતું. રાહુલે દાવો કર્યો હતો કે અધિકારીઓએ ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હતી. કારણ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એવા મામલાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બનતા નહોતા. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આપણે એવી દુનિયાનું નિર્માણ થતું જોઈ શકતા નથી જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલું નથી. દરમિયાન, તેમણે વિશ્વમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે નવી વિચારસરણીની જરૂરિયાત વિશે વાત કરી. સાથે જ કહ્યું કે તે કોઈના પર લાદવામાં ન આવે.
કોંગ્રેસ નેતાએ ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં નિર્માણ ક્ષેત્રમાં ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, આ પરિવર્તને મોટા પાયે અસમાનતા અને નારાજગી બહાર લાવી છે, જેના પર તાત્કાલિક ધ્યાન અને સંવાદની જરૂર છે.
રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાશ્મીર વિશે વાત કરતા રાહુલે કહ્યું કે, કાશ્મીર ઘણા વર્ષોથી હિંસાથી ઘેરાયેલું છે. સુરક્ષા અધિકારીઓએ સુરક્ષાને લઈને ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે અમે આગળ વધ્યા તો હજારો લોકો ત્રિરંગો લઈને આગળ આવ્યા. એક વ્યક્તિ નજીક આવ્યો તેણે કેટલાક છોકરાઓ તરફ ઈશારો કરીને કહ્યું કે તેઓ ઉગ્રવાદી છે. એ છોકરાઓ મારી સામે જોઈ રહ્યા પણ કંઈ કરી શક્યા નહિ. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકોની વાત સાંભળવા અને અહિંસાની શક્તિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech