ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને મોટો ઝટકો આપ્યો છે. એલોન મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એફિશિયન્સી (ડોજ) એ ભારતને મળતું 21 મિલિયન ડોલર(1.8 અરબ રૂપિયા)નું ભંડોળ રદ કર્યું છે. આ ભંડોળને જો બાઈડેન વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ ભંડોળનો ઉદ્દેશ્ય ભારતમાં મતદાન વધારવાનો હતો. ડોજ દ્વારા લેવાયેલા આ પગલાથી ભારતીય ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપનો મુદ્દો ફરી ગરમાયો છે.
ભારતમાં મતદાન વધારવા માટે અમેરિકા 1.8 અરબનું ભંડોળ પૂરું પાડે છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર સરકારી ખર્ચ ઘટાડવામાં વ્યસ્ત છે. એલોન મસ્કનો વિભાગ સતત વિદેશી ભંડોળ રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ અંતર્ગત ભારતનું ભંડોળ બંધ કરી દેવામાં આવ્યું છે. ભારત ઉપરાંત, ઘણા અન્ય દેશોને આપવામાં આવતી સહાય પણ બંધ કરી દેવામાં આવી છે.
ફંડિંગ રદ કર્યા પછી સરકારી વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ પૈસા અમેરિકાના ટેક્સપેયર્સના છે, જે અલગ અલગ જગ્યાએ કરચ કરવાના હતા. વિભાગે જુદાજુદા દેશોને આપવામાં આપતા 72.3 કરોડ ડોલરના ફંડમાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. આ અંતર્ગત મોલ્ડોવામાં રાજકીય પ્રક્રિયા માટે રૂ. 2.2 કરોડ, બાંગ્લાદેશને રૂ. 2 કરોડ, નેપાળને જૈવવિવિધતા સંરક્ષણ માટે રૂ. 3.9 કરોડ, લાઇબેરિયાને 15 લાખ, દક્ષિણ આફ્રિકાને 25 લાખ અને એશિયામાં ભણવા માટેના 4.7 કરોડ ડોલર ફંડને રદ કરવામાં આવ્યુ છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ભંડોળ રદ કરવાના મુદ્દા પર પ્રતિક્રિયા આપી અને પાર્ટીએ જ્યોર્જ સોરોસનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પાર્ટીએ તેને ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં બહારની દખલગીરી ગણાવી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ કહ્યું કે આ સ્પષ્ટપણે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ છે. આનો ફાયદો કોને થશે? ચોક્કસ શાસક પક્ષને નહીં!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech