રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિનામૂલ્યે બોર રિચાર્જ કરી આપવામાં આવનાર છે તેમ જ ખુલ્લા પ્લોટ અને સંકુલોમાં જળસંચયના હેતુથી બોર કરવામાં આવનાર છે દરમિયાન આજથી આ કામગીરીનો શુભારંભ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જુદી જુદી શાળાઓ તથા હાઈસ્કુલના કેમ્પસમાં વિવિધ સંસ્થા-કંપનીઓના સી. એસ.આર. ફંડમાંથી કુલ ૭૦ બોર કરવામાં આવશે.
રાજકોટ શહેર માટે પીવાના પાણીના સ્ત્રોત સ્વરૂપે ભાદર-૧, આજી-૧, ન્યારી-૧ ડેમ છે, આજથી ૩૫ વર્ષ પહેલા દુષ્કાળ પડેલ ત્યારે રાજકોટની માનવવસ્તી અંદાજે સાત લાખ જેટલી હતી તે આજે વીસ લાખથી વધુ થઈ ચુકી છે, ત્યારે આ વસ્તીને પાણી પૂરું પાડવા માટે ૪૦૦ કિ.મી. દુરથી નર્મદા ડેમનું પાણી(સરદાર સરોવર)માંથી પૂરું પાડવામાં આવે છે, જયારે દુષ્કાળ પડ્યો ત્યારે રાજકોટ શહેર અનેક રોડની શેરીઓ આજુબાજુમાં ખુલ્લી જમીન હોવાથી વરસાદી પાણી જમીનમાં ઉતરતા હતા આજે સંપૂર્ણ પાકા રોડ થઈ ચુક્યા છે, અને રાજકોટમાં અનેક વોકળાઓ પાણીના વહેણ માટે હતા. તેમાં મોટા ભાગના ગટરનું પાણી વહે છે તેમજ આજથી ૩૫ વર્ષ પહેલા કોર્પોરેશનના અનેક હેંડપંપો દ્વારા પાણી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. હાલની સ્થિતિએ ૫૦૦ થી ૨૫૦૦ ફૂટ ઊંડે સુધી પાણીના તળ જતા રહયા છે, દિવસે દિવસે રાજકોટ શહેરનો ખુબજ વિકાસ થઈ રહયો છે તેમાં ૭ માળ થી ૨૨ માળ સુધીના ગગનચુંબી અધ્યતન બિલ્ડીંગો બની રહયા છે. સાથે સાથે આવનાર દિવસોમાં ૪૫ થી ૫૦ માળ સુધીના બિલ્ડીંગો નિર્માણ થનાર છે, આવનાર દિવસોમાં પાણીની તંગી ઉભી ન થાય તેના માટે ભારત સરકાર, ગુજરાત સરકારના સહયોગ અને માર્ગદર્શનથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના જતન માટે સતત પ્રયાસ કરવામાં આવે છે, જેમાં રાજકોટ શહેરમાં સરકારી કચેરી અને સ્કૂલોમાં કલેકટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦ થી વધુ બોર રીચાર્જ થઈ ચુક્યા છે જેનાથી રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનું પ્રમાણ ખુબ ઘટશે અને જમીનની અંદર પાણીનો ખુબ સંગ્રહ થશે તેથી રાજકોટની જનતાને અને રાજકોટ મહાનગરપાલિકાને રાહત થશે તેમજ નર્મદાનો પાણીનો આર્થિક બોજ હળવો થશે.
જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૩-૬-૨૦૨૫, મંગળવારના રોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના સી. એસ.આર.ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા, વહી જતા વરસાદી પાણીને નવા બોર કરી, રીચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો. આ શુભારંભ રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના સીએસઆર ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જુદી જુદી શાળાઓ તથા હાઈસ્કુલના કેમ્પસમાં કુલ ૭૦ બોર કરવામાં આવનાર છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક વિસ્તારોમાં ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ બોર રીચાર્જ થઈ ચુક્યા છે. આ રીતે વરસાદી પાણીનું યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ શકે તેમ છે.
આ શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, ડૉ.દેવાંગી મૈયડ, પ્રતાપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલઘા, કૌશિકભાઈ સરધારા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય સોનલબેન ફળદુ, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જી.કે.પી.દેથરીયા, આસી.કમિશનર અને પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, આસી.એન્જી.વિશાલ વાગડીયા, વર્ક આસી.મયુર વેગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech