પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ ફૂડ સેફટીના નિયમોનો ઉલાળીયો કરનારા ધંધાર્થીઓને ત્યાં ખાદ્યપદાર્થ અંગેની તપાસ હાથ ધરી હતી અને ધંધાર્થીઓએ ફ્રીજમાં છુપાવેલ અખાદ્ય સામગ્રી પણ શોધી કાઢી હતી. કુલ આઠ વેપારીઓને ૪૫૦૦ ા.નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્ર્નર હસમુખ પ્રજાપતિના નેતૃત્વમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ફૂવારાથી કમલાબાગ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી શોપ, રસલારી, સોડાશોપ, ઠંડાપીણા, મીઠાઇ, ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમાં ચેકીંગ કરવામાં આવેલ તેમજ ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવેલ છે અને આ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા ફૂડ સેફટી એકટ અન્વયે જરી લાયસન્સ, રજીસ્ટ્રેશન વિનાના ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ફૂડ સેફટીના નિયમોનું પાલન ન થતા હોય તેવા કુલ ૮ ધંધાર્થીઓ પાસેથી કુલ ા. ૪૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech