પોરબંદરમાં ફૂડ સેફટીનું પાલન નહી કરનારા ત્રણ ધંધાર્થીઓને ૩૦૦૦ ા.નો દંડ ફટકારીને મનપાએ ૧૦૦ કિલો જેટલા સડેલા ફળ કબ્જે કર્યા હતા.
કમિશ્નર તથા નાયબ કમિશ્નર (પ્રોજેકટ)ની સુચનાથી ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંજરાપોળ રોડ, ભદ્રકાલી રોડ અને જ્યુબેલી રોડ વિસ્તારમાં નાસ્તાગૃહ, ભોજનાલય, બેકરી, આઇસક્રીમ શોપ, સોડાશોપ, ઠંડાપીણા, મીઠાઇ ફરસાણ વગેરેનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાન અને લારીમાં ચેકીંગ કરવામં આવેલ અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવેલ છે અને આ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરતા ચેકીંગમાં ફૂડ સેફટી અંગેનું પાલન થતુ ન હોય આવા કુલ ૩ ધંધાર્થીઓ પાસેથી કુલ ા. ૩૦૦૦નો વહીવટીચાર્જ વસુલ કરેલ. તેમજ ફૂડ સેફટી એકટ હેઠળના લાયસન્સ, રજીસ્ટ્રેશન વિના ધંધો કરતા ધંધાર્થીઓને લાયસન્સ મેળવી લેવા નોટીસ પાઠવેલ તેમજ ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપેલ તેમજ લીમડાચોક વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં શાકભાજી તથા ફળોનું વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકીંગ કરતા ખુલ્લા પડેલા, સડેલા, અતિપાકેલા બિનઆરોગ્યપ્રદ શાકભાજીઅને ફળ જેવા કે કેળા, કેરી, ટેટી, લીંબુ આશરે ૧૦૦ કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાવેલ અને વહીવટીચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ આવા શાકભાજી અને ફળોનું વેચાણ ન કરવા સુચના આપવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપદથી હટાવતાં આસીમ મુનીરે મારી પત્ની વિરુદ્ધ વેરવૃત્તિથી કાર્યવાહી કરી : ઈમરાન
June 04, 2025 09:45 AMટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6 ટકા થઇ જશે : OECD
June 04, 2025 09:43 AMIPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું
June 03, 2025 11:24 PMપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech