પોરબંદરમાં ફ્રૂટના ધંધાર્થીઓને ત્યાં મનપાએ પાડયા દરોડા

  • May 24, 2025 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ફ્રૂટના ધંધાર્થીઓને ત્યાં મહાનગરપાલિકાના તંત્રએ દરોડા પાડીને હાનિકારક એવા ૫૦ કિલો ફ્રૂટનો નાશ કર્યો હતો અને ૪૦૦૦ જેટલો વહીવટીચાર્જ પણ વસુલવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ખાપટ વિસ્તારમાં આવેલ માર્કેટીંગ યાર્ડ તથા આસપાસના વિસ્તારમાં ફ્રૂટસની વખારો તથા લારીઓમાં ફ્રૂટસનું વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાં આવેલ અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવેલ છે અને ધંધાર્થીઓના ચેકીંગ કરતા ફૂડ સેફટી અંગેનું પાલન થતુ ન હોય આવા કુલ ૪ ધંધાર્થીઓ પાસેથી કુલ ‚ા. ૪૦૦૦નો વહીવટીચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ અતિ પાકેલા અને સડેલા આરોગ્યને હાનિકારક ફ્રૂટસ, કેરી, તરબુચ વગેરે આશરે ૫૦ કિલો જથ્થો નાશ કરેલ છે. તથા આગામી દિવસોમાં પણ આ પ્રકારે ચેકીંગની કામગીરી યથાવત રહેશે તેમ જણાવાયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application