પોરબંદરમાં ફ્રૂટના ધંધાર્થીઓને ત્યાં મહાનગરપાલિકાના તંત્રએ દરોડા પાડીને હાનિકારક એવા ૫૦ કિલો ફ્રૂટનો નાશ કર્યો હતો અને ૪૦૦૦ જેટલો વહીવટીચાર્જ પણ વસુલવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના ખાપટ વિસ્તારમાં આવેલ માર્કેટીંગ યાર્ડ તથા આસપાસના વિસ્તારમાં ફ્રૂટસની વખારો તથા લારીઓમાં ફ્રૂટસનું વેચાણ કરતા ધંધાર્થીઓનું ચેકીંગ કરવામાં આવેલ અને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવેલ છે અને ધંધાર્થીઓના ચેકીંગ કરતા ફૂડ સેફટી અંગેનું પાલન થતુ ન હોય આવા કુલ ૪ ધંધાર્થીઓ પાસેથી કુલ ા. ૪૦૦૦નો વહીવટીચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ અતિ પાકેલા અને સડેલા આરોગ્યને હાનિકારક ફ્રૂટસ, કેરી, તરબુચ વગેરે આશરે ૫૦ કિલો જથ્થો નાશ કરેલ છે. તથા આગામી દિવસોમાં પણ આ પ્રકારે ચેકીંગની કામગીરી યથાવત રહેશે તેમ જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMઠગ લાઇફ વિવાદ બાદ કમલ હાસને માફી માંગવાનો કર્યો ઇનકાર, 'ઠગ લાઈફ' કર્ણાટકમાં નહીં થાય રિલીઝ
June 03, 2025 05:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech