ભયગ્રસ્ત-જર્જરીત ઇમારતો ચોમાસા પૂર્વે ભયમુકત કરવા મનપાનો આદેશ

  • June 02, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ભયગ્રસ્ત અને જર્જરિત ઇમારતો ચોમાસા પૂર્વે ભયમુક્ત કરવા મહાપાલિકાએ મિલકતધારકો, ભાડુઆતો, માલિકો તેમજ કબ્જેદારોને આદેશ કર્યો છે

વિશેષમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ઘણી ઇમારતો ખૂબજ જુનવાણી અને ભયગ્રસ્ત હાલતમાં હોય, આ ઇમારતોને જાહેર જનતાનાં હિતાર્થે ભયમુકત કરવી જરૂરી જણાય છે. રાજકોટ શહેરમાં ભયગ્રસ્ત જણાયેલ ઇમારતોનું વ્યક્તિગત મુલાકાત લઇ ભયગ્રસ્ત ભાગ દૂર કરવા અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેખિત તથા મૌખિક સુચના આપી ભયગ્રસ્ત ભાગ દૂર કરવા જણાવવામાં આવેલ છે. તેમ છતાં ભયગ્રસ્ત મિલ્કત ધારકો, માલિકો, ભાડુઆતો, કબજેદારો દ્વારા ભયમુકત કરવામાં ઢિલાસ દાખવામાં આવી રહેલ છે. રાજકોટ શહેરમાં તમામ ભયગ્રસ્ત મિલ્કતની વ્યક્તિગત મુલાકત લેવામાં સમય લાગે તેમ હોય, જેથી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા તમામ મિલ્કત ધારકો, માલિકો, ભાડુઆતો, કબજેદારો દ્વારા જાહેર જનતાનાં હિતાર્થે ભયગ્રસ્ત ભાગ ભયમુકત-નિર્ભય કરવો ખૂબજ જરૂરી હોય, જરૂર જણાયે કોર્પોરેશન માન્ય સ્ટ્રકચર એન્જીનીયરની સલાહ અનુસાર ભયગ્રસ્ત ભાગ દૂર કરવો કે સ્ટ્રેન્થનીંગ કરવાની કાર્યવાહી કરવી. આ બાબતની જાહેર જનતાનાં હિતાર્થે મિલ્કત ધારકો, માલિકો, ભાડુઆતો, કબજેદારોએ ખાસ નોંધ લેવી તેમ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application