જામનગરમાં કોંગી કોર્પોરેટરને મ્યુનિ. કમિશનરે મુલાકાત ના આપી:  તબિયત બગડતાં કોર્પોરેટરને હોસ્પિટલ લઈ જવાયા

  • May 03, 2025 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્મ-મરણ શાખાના પ્રશ્ન બાબતે રજૂઆત કરાઇઃ તબિયતમાં સુધારો થતાં ફરી મોડી સાંજે કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા કોંગ્રેસના કોર્પોરેટર​​​​​​​


જામનગર ના કોંગ્રેસ ના કોર્પોરેટર પોતાના પ્રશ્ન ની  રજૂઆત માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચ્યા હતા. પરંતુ કમિશનરે તેમને મુલાકાત આપી ન હતી. આ પછી તેમની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવા હતા , જો કે મોડી સાંજે તેઓ ફરી મહાનગરપાલિકાની કચેરી એ પહોંચ્યા હતા, અને કમિશનર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી.


જામનગરના વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસ.ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે બપોરે મહાનગરપાલિકામાં કચેરીમાં કમિશનર કાર્યાલય પહોંચ્યા હતા. અને કમિશનર ની મુલાકાત કરવા પ્રયાસ કર્યો હતો .પરંતુ તેમને અડધો કલાક ચેમ્બરની બહાર અન્ય ચેમ્બરમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી કમિશનર બહાર નીકળી ગયા હતા. પરંતુ કોર્પોરેટરને મુલાકાત આપી ન હતી. બીજી તરફ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ જ્યાં સુધી કમિશનર મુલાકાત ના આપે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવા નો  નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેમની તબિયત લગાડતા તાત્કાલિક તેઓને જીજી હોસ્પિટલ લઈ જવા હતા.જ્યાં તેઓ ની  સારવાર કરવામાં આવી હતી.


આ પછી મોડી સાંજે તેઓ હોસ્પિટલ થી ફરી પાછા કમિશનર કાર્યાલય  પહોંચ્યા હતા અને જ્યાં કમિશનર સમક્ષ પોતાના મત વિસ્તારમાં ત્રણ સીવીક સેન્ટર બનાવી આપવાની રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application