કોવિડ જેએન.૧નું નવું સબ–વેરિઅન્ટ મુંબઈ મહાનગરમાં પ્રવેશ્યું છે.બીએમસી સ્વાસ્થ્ય વિભાગ દ્રારા આ વાતની પુષ્ટ્રિ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તમામ દર્દીઓમાં હળવા લક્ષણો હતા. રાયમાં વાયરસના નવા પેટા પ્રકારો ફેલાતા વહીવટીતંત્રની ચિંતા ઔર વધી ગઈ છે. હકીકતમાં, જેએન.૧ વેરિઅન્ટના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં, રાયમાં નવા પેટા વેરિઅન્ટથી અસરગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૨૫૦ પર પહોંચી ગઈ છે.જેમાં પુણેમાં સૌથી વધુ ૧૫૦ કેસ, નાગપુરમાં ૩૦, મુંબઈમાં ૧૯, સોલાપુરમાં ૯, થાણેમાં ૭, સાતારામાં ૭ અને બાકીના કેસ અન્ય જિલ્લાઓમાં મળી આવ્યા છે.બીએમસીના એકિઝકયુટિવ હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહે જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાંથી ૧૯ સેમ્પલમાં નવા સ્ટ્રેનની પુષ્ટ્રિ થઈ છે. તેમાં ૧૧ પુષ અને ૮ મહિલાઓ છે. બધા દર્દીઓમાં હળવા લક્ષણો હતા. હાલ તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. આમાંથી મોટાભાગના કેસ ખાનગી લેબ દ્રારા અમને મોકલવામાં આવેલા સેમ્પલમાં મળી આવ્યા છે.
રાજ્યમાં ૬૧ નવા દર્દી
રાયમાં ૬૧ નવા કોવિડ દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ ૨૩ કેસ મુંબઈમાં, ૧૧ થાણે મ્યુનિસિપલ કોર્પેારેશનમાં, ૯ નવી મુંબઈમાં અને ૨ મીરા–ભાઈંદરમાં જોવા મળ્યા હતા. કલ્યાણ–ડોમ્બિવલીમાં ૧ કેસ મળી આવ્યો છે. હાલમાં, મહારાષ્ટ્ર્રમાં ૮૮૨ સક્રિય કોરોના દર્દીઓ છે, જેમાંથી ૧૬૫ મુંબઈમાં, ૧૦૪ થાણે મ્યુનિસિપલ કોર્પેારેશનમાં, ૮૦ નવી મુંબઈમાં અને બાકીના અન્ય જિલ્લાઓમાં જોવા મળે છે. રાયમાં કુલ ૪૧ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી ૧૭ દર્દીઓની મુંબઈમાં સારવાર ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech