મક્કામાં હજ દરમિયાન 90થી વધુ ભારતીયોના મોત નિપજ્યાં

  • June 20, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગરમી અને તીવ્ર તાપમાનના કારણે આ વર્ષે હજ યાત્રા દરમિયાન 68 જેટલા ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 600 થી વધુ છે. રાજદ્વારીએ જણાવ્યું હતું કે, અમે લગભગ 68 મૃતકોની પુષ્ટિ કરી છે... કેટલાક કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે તો મોટાભાગના વૃદ્ધ યાત્રાળુઓ હવામાનની સ્થિતિને કારણે મૃત્યુ પામ્યા છે. જો કે, ભારત સરકારે હજ યાત્રા દરમિયાન મૃતકોની સંખ્યા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. બે આરબ રાજદ્વારીઓએ જણાવ્યું કે હજ દરમિયાન 550 જાનહાનિ નોંધાયા પછી અપડેટ કરાયેલ મૃત્યુઆંક નોંધવામાં આવ્યો. આરબ રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર, કુલ 323 ઇજિપ્તવાસીઓ અને 60 જોર્ડનિયનોનો સમાવેશ થાય છે, જેમાં એક રાજદ્વારી નોંધે છે કે લગભગ તમામ ઇજિપ્તવાસીઓ ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા.

ઈન્ડોનેશિયા, ઈરાન, સેનેગલ, ટ્યુનિશિયા અને ઈરાકના સ્વાયત્ત કુર્દીસ્તાન પ્રદેશ દ્વારા પણ મૃત્યુની જાણ કરવામાં આવી છે, જોકે ઘણા કિસ્સાઓમાં, સત્તાવાળાઓએ ચોક્કસ કારણો જાહેર કયર્િ નથી. ગત વર્ષે 200 મૃતકોમાંથી મોટાભાગના તીર્થયાત્રીઓ ઈન્ડોનેશિયાના હતા. સાઉદી અરેબિયાએ જાનહાનિની સંખ્યા જાહેર કરી નથી પરંતુ એકલા ગરમીના કારણે ડીહાઇડ્રેશનના 2,700 થી વધુ કેસ નોંધાયા હતા. ભારતીયોની જાનહાનિની પુષ્ટિ કરનાર રાજદ્વારીએ જણાવ્યું હતું આ દર વર્ષે થાય છે, આ આંકડાઓ ગયા વર્ષની જેમ કંઈક અંશે સમાન છે. તેમણે એ પણ જણાવ્યું કે કેટલાક ભારતીય તીર્થયાત્રીઓ ગુમ પણ થયા હતા, પરંતુ ચોક્કસ સંખ્યા આપવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરના વર્ષોમાં, સાઉદીના સઘન ઉનાળા દરમિયાન હજ કરવામાં આવી રહી છે. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અધ્યયનમાં દશર્વિવામાં આવ્યું છે કે જ્યાં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યાં તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ (0.72 ડિગ્રી ફેરનહીટ) વધે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application