\\\શનાળા બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે આસામીઓએ મકાન ભાડે ચડાવી દીધા સહિતની લાલીયાવાડી સામે આવ્યા બાદ મ્યુનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ટીમે નોટીસ આપ્યા બાદ આજે મકાન સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી
મોરબીના દલવાડી સર્કલ શનાળા બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૦૮ લેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા હતા જે આવાસ યોજનાના મકાનોમાં મૂળ માલિકને બદલે અન્ય લોકો રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું કેટલાય મકાનો ભાડે ચડાવી આવાસના લાભાર્થીઓ ભાડું કમાતા હતા જેથી મહાનગરપાલિકા દ્રારા નોટીસો આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો જે નોટીસ પીરીયડ બાદ આજે ટીમ આવાસ યોજનામાં સીલ કરવા પહોંચી હતી કમિશ્નર સ્વપનીલ ખરે પાસેથી પ્રા વિગતો મુજબ કુલ ૨૬ આવાસના મકાનોની ઓળખ કરવામાં આવી હતી જેમાં ભાડુઆત રહેતા હોય અથવા મૂળ માલિકને બદલે અન્ય કોઈ વસવાટ કરતું હતું તેવા લેટ સીલ કરવાની કામગીરી કરી હતી
જે કાર્યવાહીથી બચવા માટે ૫–૬ આસામીઓ પોતાનો સામાન લઈને રહેવા માટે આવી ગયા હતા તેમજ ભવિષ્યમાં આવું કૃત્ય ના કરે માટે પરત રહેવા આવી ગયા હોય તેવા મકાનના પચં રોજકામ કરી ત્યાં સુચના લગાવાઈ છે જેથી ભવિષ્યમાં ચેકિંગ સમયે ટીમને ધ્યાનમાં આવી સકે. આજે મનપા તંત્રની કામગીરીને પગલે આવાસ યોજનામાં ફફડાટ જોવા મળ્યો હતો સરકારી આવાસ મેળવી ભાડે ચડાવી પિયા કમાનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ કાર્યવાહી સુધીના સંકેત પણ કમિશ્નરે આપ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબુલેટ ટ્રેનની મુસાફરી માટે 4 વર્ષ રાહ જોવી પડશે, જાણો અત્યારસુધીમાં કેટલું કામ પૂર્ણ થયું
March 31, 2025 10:13 AMવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech