વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોર્કમાં લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર બે રાજ્યોનો ઉકેલ જ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ભારત પેલેસ્ટાઈનને માન્યતા આપ્નાર પ્રથમ દેશોમાંનો એક છે અને સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા. વડાપ્રધાને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ભારતની સ્થિર અને સૈદ્ધાંતિક નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલ શોધવાનું આહ્વાન કર્યું હતું.
આ દરમિયાન, બંને નેતાઓએ ભારત-પેલેસ્ટાઈન દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર રચનાત્મક ચચર્િ કરી, જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનને ભારતનું સમર્થન અને પેલેસ્ટાઈનને શિક્ષણ, આરોગ્ય અને અન્ય ક્ષમતા નિમર્ણિ પ્રયાસોના ક્ષેત્રમાં ચાલુ સહાય અને સમર્થનનો સમાવેશ થાય છે. બંને નેતાઓએ ભારત-પેલેસ્ટાઈન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ભારતે માનવીય સહાય પણ મોકલી
ભારતે તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગાઝાના લોકોને માનવીય સહાય પણ મોકલી. જુલાઈમાં, ભારતે વર્ષ 2024-25 માટે ભારતમાં પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીને 2.5 મિલિયન ડોલરનો પ્રથમ હપ્તો જારી કર્યો હતો.
ટેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત
પીએમ મોદીએ ઘણી મોટી ટેક કંપ્નીઓના સીઈઓ સાથે મુલાકાત કરી અને ભારતની સંભાવનાઓ અને તકો અંગે ચચર્િ કરી. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં સેમિક્ધડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ અને બાયોટેકનોલોજીની દુનિયાના ઘણા અગ્રણી લોકોએ ભાગ લીધો હતો. મોટી અમેરિકન કંપ્નીઓના સીઈઓ સાથે, પીએમ મોદીએ એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિક્ધડક્ટર અને બાયોટેકનોલોજી જેવા અદ્યતન ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા ચચર્િ કરી. પીએમ મોદીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કયર્િ હતા જેમાં તેમણે ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ શેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech