ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યો 7 મેના રોજ અસરકારક રીતે નાગરિક સુરક્ષા માટે મોક ડ્રિલનું આયોજન કરશે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે (5 મે 2025) મોટું પગલું ભરતા ઘણા રાજ્યોને મોક ડ્રિલ કરવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી નિર્દેશમાં કહેવામાં આવ્યું કે રાજ્ય 7 મે 2025ના રોજ અસરકારક રીતે નાગરિક સુરક્ષા માટે મોક ડ્રિલનું આયોજન કરશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
મોક ડ્રિલ દરમિયાન આ બાબતો પર ભાર મૂકવામાં આવશે:
- હવાઈ હુમલાના એલર્ટ વખતે સાયરન વગાડવું.
- હુમલા વખતે નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને પોતાની સુરક્ષા માટે તાલીમ આપવી.
- હુમલા વખતે બ્લેક આઉટ કરવું.
- મહત્વપૂર્ણ પ્લાન્ટ/સંસ્થાઓને હુમલા વખતે છુપાવવા.
- લોકોને સ્થળ ખાલી કરાવવા અથવા બહાર કાઢવાની યોજના બનાવવી અને તેનો અભ્યાસ કરવો.
1971માં કરવામાં આવી હતી આવી મોક ડ્રિલ
આ પહેલાં આ પ્રકારનો અભ્યાસ 1971માં કરવામાં આવ્યો હતો, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી નિર્દેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ભારત ક્યારેય પણ તેના પર હુમલો કરી શકે છે. આ ડરથી પાકિસ્તાન ક્યારેક સંયુક્ત રાષ્ટ્ર તો ક્યારેક અમેરિકા સામે ભીખ માંગી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને જોતા પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ બોર્ડે રવિવારે (4 મે 2025) 30 મિનિટનો બ્લેકઆઉટ અભ્યાસ કર્યો. બ્લેકઆઉટ અભ્યાસ રાત્રે નવ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કરવામાં આવ્યો. આ અભ્યાસનો ઉદ્દેશ્ય યુદ્ધના ખતરા દરમિયાન બ્લેકઆઉટ પ્રક્રિયાઓને લાગુ કરવાની તૈયારી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાનો છે. આ અભ્યાસને સફળ બનાવવા માટે તમારો સહકાર અને સમર્થન મહત્વપૂર્ણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech