રતન ટાટાના નિધનથી મીઠાપુર શોકમય બંધ

  • October 11, 2024 11:26 AM 

મીઠાપુરમાં પણ ટાટા ગ્રુપનું સામ્રાજ્ય: ટાટા કેમિકલ્સ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ઓખા મંડળ ખાતે છેલ્લા આશરે અડધી સદી જેટલા સમયથી ટાટા ગ્રુપની પ્રથમ હરોળની કંપની ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુર ખાતે આવેલી છે. ટાટા ગ્રુપના મહત્વના અંગ એવા ટાટા કેમિકલ્સ લિમિટેડમાં વર્ષ 1997 માં રતન ટાટાનું આગમન થયું હતું. જે-તે સમયે તેમણે ટાટા કેમિકલ શાળાની પણ મુલાકાત લીધી હતી. અગાઉના વર્ષોમાં તદ્દન ઓછી ખ્યાતિ ધરાવતા દ્વારકાના નજીકના પછાત એવા મીઠાપુર વિસ્તારમાં ટાટા કંપની દ્વારા લોકોને રોજગારી તેમજ શિક્ષણ આપવામાં આવે એવા અનેક માનવતા વાદી પ્રયાસો કરવામાં આવ્યા હતા.


રતન ટાટાના નિધનથી ગઈકાલે મીઠાપુર વિસ્તારના લોકોએ શોકમય બંધ પાડી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સમગ્ર દેશના આદર્શ અને આદરણીય મનાતા એવા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થતાં ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોએ પણ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ આજીવન સમાજસેવા લક્ષી કાર્યો સાથે સમગ્ર વિશ્વમાં દાન પુણ્ય બાબતે જેનું પ્રથમ હરોળમાં સ્થાન રહ્યું છે, તે સ્વ. રતન ટાટાને અંતરથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application