જસદણ પંથકની પરિણીતાને છરીની દેખાડી બે પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી વડોદમાં રહેતા શખસે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી વડોદ ગામના શખસને સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ ગ્રામ્ય પંથકની પરિણીતાને છરી બતાવી અને સંતાનોને મારી નાખવાની ધમકી આપી અવાર નવાર વડોદ ગામના માલા ભકા ચાવડા નામના શખ્સે દુષ્કર્મ આચર્યા અંગેની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તે પોતાના ઘરે એકલા હતા ત્યારે વડોદ ગામના માલા ભકા ચાવડા નામનો શખસ ઘરમાં ઘુસી જઇ છરી બતાવી તેણીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં તેના ઘરે અવાર નવાર આવી દુષ્કર્મ આર્ચયા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માલા ભક્કા ચાવડા સામે દુષ્કર્મ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાની અને રાઇટર અરૂણભાઇ સહિતના સ્ટાફે માલા ભકા ચાવડાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ છે.
સગીરાને ભગાડી જનાર બેલડાનો શખસ કાનપુરથી ઝડપાયો
જસદણ પોલીસે બેલડા ગામેથી સગીરાનું અપહરણ કરી ભાગી ગયેલા યુવાનનું લોકેશન મેળવી ગણતરીના દિવસોમાં જ અપહરણકાર અને ભોગ બનનારાને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી લીધો હતો.
જસદણ પોલીસ મથકમાં ૧/૪/૨૫ના બેલડા ગામેથી સગીરાનું અપહરણ કરી ગયાનો બનાવ નોંધાયો હતો. જસદણ પીઆઇ ટી.બી. જાનીએ ટીમને કામે લગાડી બેલડાની સગીરા અને તેને ભગાડી જનાર શખસને શોધવા બાતમીદારો અને ટેકનિકલ સોર્સીસ દ્વારા તપાસ કરાવતા આરોપીનું પગેરુ ઉત્તર પ્રદેશના કાનપુર તરફ મળ્યું હતું.બાદમાં પોલીસની ટીમે અહીં પહોંચી આરોપી હરેશ ભાવસીંગભાઇ સોલંકી(રહે. બેલડા તા. વીંછિયા) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech