અમરેલીના મોટા લીલીયા સેવા સહકારી મંડળી (ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.)માં મંત્રી તરીકે ફરજ બજાવતા અશોક ભાયલાલભાઇ મહેતા (રહે-સાવરકુંડલા ગાયત્રી સોસાયટી હાથસણી રોડ)એ મંડળીના સભાસદોની ધિરાણના હપ્તા, વ્યાજ અને શેરની રકમ તેમજ મંડળીના રાસાયણિક ખાતરના વેચાણની કુલ રૂ.1 કરોડ 71 લાખ 70 હજાર જેટલી રકમ મંડળીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં લીધી હતી. મંડળીના ઓડિટ દરમિયાન સમગ્ર બાબત સામે આવતા મંત્રી અશોક મહેતાએ કટકે કટકે રૂ.9,51,432 પરત કર્યા હતા બાકી રહેતા રૂ.1,61,70,000 જમા ન કરાવી મંડળી સાથે છેતરપીંડી આચરતા અમરેલી જિલ્લા સહકારી ક્ષેત્રે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે લીલીયાના આંબા ગામે રહેતા અને આંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ જીજ્ઞેશભાઈ મનસુખભાઇ સાવજએ મંડળીના મંત્રી અશોક ભાયલાલભાઇ મહેતા સામે લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, લીલીયા તાલુકાના આંબા ગામે આંબા સેવા સહકારી મંડળી વર્ષ 1955થી રજીસ્ટ્રેશન કરી કાર્યરત છે. અને 369 જેટલા સભ્યો છે. મંડળીના મંત્રી તરીકે વર્ષ 1990થી અશોક ભાઇલાલભાઈ મહેતા પગારદાર તરીકે નોકરી કરતા હતા. તેની નોકરી દરમિયાન તા.12-11-24ના અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. આંબા શાખાના બ્રાન્ચ મેનેજર એચ.ડી.માંગરોળીયાએ મંત્રી અશોક મહેતા પાસે તા.6-11-24ના રોજમેળ અને હાથ પરની સિલક ચકાસણી કરવા માટેનું કહેતા સિલક 1,50,7382 હોવાની ખરાઈ કરાવી હતી. પરંતુ વાસ્તવીક સિલક ગણીને ખરાઈ કરાવી શક્યા ન હતા. અને આ રકમ પોતે પોતાના અંગત ઉપયોગમાં લીધી હોવાની કબૂલાત આપી હતી. રકમ પોતે કટકે કટકે ચૂકવી આપશે તેવી બાહેંધરી આપ્યા બાદ કટકે કટકે રૂ. 9,51,432 ની રકમ ચૂકવ્યા બાદ અન્ય બાકી રહેતી 1,61,70,000ની રકમ આજદિન સુધી ભરપાઈ કરી નહતી. મંત્રી તરીકે અશોક મહેતાને તા.31-3-25ના ફરજ મોકૂફ પણ કરી દેવામાં આવ્યા છે.
પોલીસે મંડળીના પ્રમુખની ફરિયાદ પરથી અશોક મહેતા સામે છેતરપીંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech