મંત્રી કુંવરજી બાવળીયાએ રંઘોળા ડેમ, શેત્રુંજી ડેમ અને બોરતળાવની મુલાકાત લીધી

  • September 19, 2024 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના રંઘોળા ડેમ,પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ અને ભાવનગરનાં બોરતળાવની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર  એચ.એન.સરવૈયાએ રંઘોળા ડેમની તેમજ સિંચાઈ વિભાગના (શેત્રુંજી) કાર્યપાલક ઈજનેર એ. એમ.બાલધીયાએ શેત્રુંજી ડેમના સ્ત્રાવ ક્ષેત્ર, જળ વિસ્તાર, જળ સંગ્રહ શક્તિ, જળાશયની હાલની સપાટી, આસપાસના ગામોને મળતાં સિંચાઈના પાણી અંગે મંત્રીને વાકેફ કર્યાં હતાં. આ ઉપરાંત મંત્રીએ બોર તળાવ સૌની યોજનાની જાત મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યો હતાં.  આ વેળાએ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા,પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર મકવાણા, ઉમરાળાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી બી.એમ. જોષી,સીટી એન્જિનિયર સી.સી.દેવમુરારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application