સુદાનમાં ઓમદુરમન શહેરમાં ઉડાન ભરતી વખતે લશ્કરી વિમાન ક્રેશ, 46 લોકોના મોત

  • February 26, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુદાનનું લશ્કરી વિમાન ઓમડુરમૈન શહેરમાં ક્રેશ થયું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયાના અહેવાલ છે. એ પહેલા આજે લશ્કરી અને આરોગ્ય અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે. અકસ્માત પાછળના મુખ્ય કારણ વિશે કોઈ માહિતી નથી. સુદાનિસ આર્મીના રિપોર્ટ અનુસાર, સેનાનું એન્ટોનોવ વિમાન ગઈકાલે  ઓમડુરમૈનની ઉત્તરે વાડી સૈયદના એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું.



​​​​​​​

જોકે, અગાઉ સુદાનના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ઓમડુરમૈનની નાઉ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.


સુદાનનું ગૃહયુદ્ધ: વધતી જતી દુર્ઘટના

સુદાન 2023થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે, જ્યારે દેશની સેના અને કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચેનો તણાવ યુદ્ધમાં પરિણમ્યો. આ સંઘર્ષ શહેરી વિસ્તારો, ખાસ કરીને દારફુર પ્રદેશને તબાહ કરી રહ્યો છે અને વંશીય હિંસા અને સામૂહિક બળાત્કાર જેવી ભયાનક ઘટનાઓને જન્મ આપી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય અધિકાર સંગઠનોએ આ ઘટનાઓને માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો ગણાવ્યા છે.


પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે

તાજેતરનામાં સેનાએ ખાર્તુમ અને અન્ય વિસ્તારોમાં RSF સામે તેની કાર્યવાહી વધારી દીધી છે. આરએસએફ, જે પશ્ચિમી ડાર્ફરના મોટાભાગના ભાગ પર નિયંત્રણ રાખે છે. તેણે સોમવારે દક્ષિણ દારફુર પ્રાંતની રાજધાની ન્યાલામાં સુદાનના લશ્કરી વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. આવી ઘટનાઓ સુદાનના સંકટને વધુ જટિલ બનાવી રહી છે અને નાગરિકોની સલામતી અને શાંતિ માટે ગંભીર ખતરો ઉભો કરી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application