હરિપર ગામે માનસિક અસ્વસ્થ આધેડનો ઝેરી દવા પી આપઘાત

  • January 16, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તાલુકાના હરીપર ગામે રહેતા આધેડે અહીં ગામની સીમમાં આવેલ વાડીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.આધેડ માનસિક અસ્વસ્થ હોવાનું અને તેના લીધે તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ તાલુકાના હરીપર ગામે રહેતા મુકેશભાઈ વલ્લભભાઈ સિદપરા(ઉ.વ ૪૭)નામના આધેડે તા.૧૫૧ ના સાંજના સમયે વાડીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.મુકેશભાઈ બે ભાઈ બે બહેનના પરિવારમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આધેડના ભાઈ મનસુખભાઈએ જણાવ્યું હતું કે તેમના મુકેશભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક અસ્વસ્થ હોય અને તેના લીધે આ પગલું ભરી લીધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application