7600 લોકોની સદસ્યતીની નોંધણી કરાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમવારથી દિલ્હી ખાતે સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા ગઈકાલે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 76 જેટલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ આગામી 24 કલાકમાં દરેક કાર્યકરો 100 ભાજપના સદસ્યોની નોંધણી કરશે. જે મુજબ ભાજપ દ્વારા એક જ દિવસમાં 7600 લોકોની ભાજપના સદસ્યતાની નોંધણી કરવામાં આવશે.
આ શુભારંભ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી અને જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ સરસીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સાથે દરેક કાર્યકરોને સદસ્યતા અભિયાનમાં જોડાઈ જવા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ આહવાન કર્યુ હતું.
જેમાં શહેરના પ્રભારી ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, શહેર ભાજપ મહામંત્રી પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, કિશાન મોરચા જિલ્લા પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મુકેશભાઈ કાનાણી તેમજ શહેર ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો તેમજ મોરચાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં આગળ અને વિનુભાઈ સોમૈયાની ખાસ ઉપસ્થિતિમાં સ્થળ પરથી જ સદસ્યતા નોંધણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ કણજારીયાએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
April 08, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech