મેઘરાજાએ પધરામણી સાથે શેત્રુંજી જળાશય ભરી દીધો:ઉમરાળામાં સાડાચાર ,વલભીપુરમાં ત્રણ ઈંચ વરસાદ

  • June 17, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ભાવનગર જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમનું જળસ્તર વધતા અને ડેમ ૯૦ % ભરાઈ જતાં આજે તા. ૧૭-૬-૨૦૨૫ના રોજ બપોરે ૧થી ૨ વાગ્યાની વચ્ચે તેના અમુક દરવાજા ખોલવામાં આવશે.ડેમની સપાટી બપોરે ૩૨.૬ ફૂટ નોંધાઈ છે. હાલ ડેમમાં ૯૫૦૦૦ ક્યુસેક પાણીની આવક શરૂ છે.
  આથી જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજાના ૧૨ ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સલામત સ્થળે પહોંચી જવા માટે જણાવવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લાના ઉમરાળામાં આજે મંગળવારે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સાડાચાર ,વલભીપુરમાં ત્રણ ઈંચ વરસાદ ,સિહોરમાં બે, ભાવનગર શહેરમાં સવા,  ઘોઘા,ગારિયાધાર અને પાલીતાણામાં ઝાપટા પડ્યા હતા.જ્યારે તળાજા , મહુવા અને જેસરમાં બપોર સુધી વરસાદનો વિરામ રહયો હતો.ત્રણ દિવસથી વરસાદના કારણે છત્રી, રેઇનકોટની ખરીદી વધી છે.
  ભાવનગર શહેર અને જિલ્લા ઉમરાળામાં સાડાચાર



સોમવારે મેઘરાજાએ બરોબર ધમરોળ્યા બાદ આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં જિલ્લાના સાત તાલુકામાં ઝાપટાથી સાડા ચાર ઈંચ પાણી વરસી ગયું હતું. જેમાં ઉમરાળામાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.આથી ઠેર ઠેર પુષ્કળ પાણી ભરાયાં હતાં.ઉમરાળા તાલુકાના ગામોમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું.
  વલભીપુરમાં પણ આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા હતા અને બપોર સુધીમાં ત્રણ ઇંચ પાણી પીરસી દીધું હતું.વલભીપુરના ગ્રામ્ય પંથકોમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી હળવા ભારે ઝાપટા વરસ્યા હતા અને સવા ઇંચ  પાણી વરસાવી દીધુ હતુ.ગઈકાલે સોમવારે ભાવનગર શહેરમાં અઢી ઇંચ  વરસાદ પડ્યો હતો.આથી કુંભારવાડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
  ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી હળવા ભારે ઝાપટા વરસ્યા હતા અને સવા ઇંચ  પાણી વરસાવી દીધુ હતુ.ગઈકાલે સોમવારે ભાવનગર શહેરમાં અઢી ઇંચ  વરસાદ પડ્યો હતો.આથી કુંભારવાડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં
  સિહોરમાં ગઈકાલે સોમવાર બાદ આજે પણ મેઘરાજાનું જોરદાર બેટિંગ રહયું હતું અને ધોધમાર સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.વરસાદના પગલે રસ્તાઓ ઉપર  નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું.આજે સવારથી બપોર સુધીમાં ઘોઘા,ગારિયાધાર અને પાલીતાણામાં ઝાપટા પડ્યા હતા.જ્યારે તળાજા,મહુવા અને જેસરમાં આજે મંગળવારે સવારથી બપોર સુધી વરસાદનો વિરામ રહયો હતો.
    આજે મંગળવારે સવારે ૬ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં સિહોરમાં ૫૭,ગારિયાધારમાં ૫, ઘોઘામાં ૩,ભાવનગર શહેરમાં ૩૧, વલભીપુરમાં ૭૩, ઉમરાળામાં ૧૧૫,પાલીતાણામાં ૩ મિ.મી. વરસાદ પડ્યાનું સરકારી ચોપડે નોંધાયું હતુ.


વલ્લભીપુર-ઘાંઘળી રોડ
વલ્લભપુરને જોડતા રોડ પર આવેલ નાળા પરના પુલ પર સિહોરના ગૌતમેશ્વર તળાવના ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદથી આવી રહેલા પાણીના ભારે પ્રવાહના પગલે પાણી ફરી વળ્યાં છે.
દરમ્યાન મગલાણા ગામ તરફના આ પુલ પર ત્રણથી ચાર રત્નકલાકારો પાણીમાં ફસાતા દોડધામ મચી હતી. બનાવના પગલે સિહોર મામલતદાર તંત્ર તેમજ ભાવનગર ડિઝાસ્ટર અને ફાયર સહિતનો કાફલો દોડી ગયો છે. અને પાણીમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News