સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલ્લભાઈ શેઠ - પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા, જામનગરના સહયોગથી નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવારના કેમ્પનું આયોજન તા.૨૧.૧૧.૨૦૨૪ ગુરૂવારના રોજ દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગર ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન કરેલ છે.
આ કેમ્પમાં આંખના મોતિયાના ઓપરેશનના દર્દીને તપાસી કેમ્પ પુરો થયે રાજકોટશ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જયાં નિઃશુલ્કમાં આંખમાં નેત્રમણિ બેસાડી નવી દ્રષ્ટિ વિનામુલ્યે આપવામાં આવશે. અન્ય દર્દીને દવા, ટીપાં, ચશ્મા વિગેરે આપવામાં આવશે.દંતયજ્ઞમાં દાંતના નિષ્ણાંત ડોકટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા દ્વારા તપાસ કરી સારવાર આપશે.
ડો. હિરાબેન જોષી સર્વરોગ માટે દર્દીને તપાસી દવાઓ નિઃશુલ્કમાં આપવામાં આવશે.આ કેમ્પનો વિશાળ સંખ્યામાં લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech