બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને બે મહત્વપૂર્ણ પદો પરથી હટાવી દીધા છે. આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને બીએસપી વડા માયાવતીના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. હવે આકાશ આનંદની ખુરશી છોડવા અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
આકાશ આનંદના કેટલાક ભાષણોથી માયાવતી નારાજ હોવાનું કહેવાય છે. પોતાના સોશિયલ મીડિયા પર માહિતી આપતા તેમણે લખ્યું કે, પાર્ટીમાં અન્ય લોકોને પ્રમોટ કરવાની સાથે તેમણે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અનેતેમના અનુગામી તરીકે જાહેર કયર્િ હતા, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમને આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવશે નહીં.
જો સૂત્રોનું માનીએ તો, આકાશ આનંદ જે રીતે તેમની જાહેર સભાઓમાં વર્તમાન સરકાર તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ પર શાબ્દિક હુમલો કરી રહ્યા હતા તેનાથી માયાવતી નારાજ હતા. તાજેતરમાં, 28 એપ્રિલે આકાશ આનંદે સીતાપુરમાં એક જાહેર સભા કરી હતી, ત્યારે તેણે કરેલી ટિપ્પણી ખૂબ ચચર્નિો વિષય બની હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આકાશ આનંદને ગયા મહિને જ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ ભાષણો દરમિયાન પોતાની ભાષા પર નિયંત્રણ રાખે. જો કે, આ પછી પણ તેઓ સહમત ન થયા અને તેમના નિવેદનો ચાલુ રહ્યા. માયાવતીને સીતાપુરમાં આતંકવાદીઓની સરકાર અને સરકાર દેશદ્રોહી હોવા જેવી તેમની ટિપ્પણીઓ પણ પસંદ નથી આવી.
ભાજપને આતંકવાદીઓની સરકાર ગણાવી હતી
આકરા પ્રહારો કરતાં તેમણે પીએમ મોદી ભાજપ સરકારને બુલડોઝરની સરકાર કહેવા પર વિપક્ષી પાર્ટીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ બુલડોઝરની સરકાર નથી, પરંતુ આતંકવાદીઓની સરકાર છે. આ સરકારે દેશની જનતાને ગુલામ બનાવી છે. ભાજપ સરકારને આતંકવાદી ગણાવવા બદલ આકાશ આનંદ વિરુદ્ધ બીજેપીએ સીતાપુરમાં એફઆઈઆર દાખલ કરી હતી. જો કે આ સિવાય આકાશ આનંદે તાજેતરમાં જ પોતાના નિવેદનમાં બહુજન સમાજ પાસેથી વોટ માંગનારાઓને જૂતાં મારીને ભગાડવાની વાત કરી હતી. અન્ય એક નિવેદનમાં, તેમણે જે રીતે રામ મંદિરની મુલાકાત ન લેવાના પક્ષના નિર્ણયોને લઈને નિવેદન આપ્યું હતું, તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ તમામ રાજકીય ઘટનાક્રમ બાદ તેમની ચૂંટણી રેલી રદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech