લોલોક સાહિત્યનાં ગાન સાથે સનાતન સંસ્કૃતિની ઉપાસના કરતાં માયાભાઈ આહીર

  • August 30, 2024 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવા પાસેનાં બોરડા ગામે શ્રાવણ માસ યજ્ઞ સાથે મૌન અનુષ્ઠાનમાં જાણીતા લોકસાહિત્યકાર  માયાભાઈ આહીર રહ્યાં છે. લોક સાહિત્યનાં ગાન સાથે સનાતન સંસ્કૃતિની ઉપાસના કરતાં અહીંયા મહાનુભાવો દ્વારા દર્શન લાભ સાથે ભાવ અભિવાદન કરી રહ્યાં છે.
 લોકસાહિત્યને તળપદી બોલીમાં રજૂ કરીને શ્રોતા રસિકોને મોજ કરાવનાર માયાભાઈ આહીર તેમનાં વતન મહુવા પાસેનાં બોરડા ગામે શિવજીનાં મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ અનુષ્ઠાન કરે છે.શ્રાવણ યજ્ઞ દરમિયાન સંતો, મહંતો, કલાકારો, અધિકારીઓ તેમજ સ્નેહીઓ પણ અહીંયા યજ્ઞ દર્શન સાથે સત્સંગ પ્રસાદ લાભ લઈ રહ્યાં છે. અહીંયા ગોહિલવાડની સુપ્રસિદ્ધ  ધનાભગત જગ્યાનાં મહંત બાબુરામ મહારાજે યજ્ઞ પૂજન સાથે માયાભાઈ આહીરનું આશિષ અભિવાદન કર્યું હતું.
ગોહિલવાડથી લઈ દેશ વિદેશમાં લોક સાહિત્યનાં ગાન સાથે અનેક સ્થાનિક અને આંતર રાષ્ટ્રિય સન્માન મેળવી ચૂકેલ માયાભાઈ આહીર યજ્ઞ અને મૌન અનુષ્ઠાન દ્વારા સનાતન સંસ્કૃતિની ઉપાસના કરતાં રહ્યાં છે. ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આ પરિવાર આહુતિઓ અર્પણ કરી રહેલ છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application