પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો..

  • May 28, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીઆરપી ગેમ ઝોનની ભયાવહક આગમાં ૯ વર્ષના બાળકથી ૪૫ વર્ષના યુવાન સુધીના ૨૮ લોકો જીવતા ભુંજાઈ ગયાની કણાંતિકા સર્જતી ઘટનામાં એક પણ વ્યકિતની ઓળખ થઇ શકે એવી સ્થિતિ ન હોવાથી તમામના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા બાદ ડીએનએ મેચ થયે મૃતદેહ પરિવારને સોંપવાની કાર્યવાહી સિવિલ અને એઇમ્સ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી રહી છે. આજે ચાર દિવસમાં ૧૭ ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી ૧૩ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જો કે પરોવારજનો મૃતદેહ નહીં પરંતુ બળીને રાખ થયેલા પોતાના પ્રિયજનના અવષેશો લઈ જઈ રહ્યા છે. આજે સવારે પરા પીપળીયામાં રહેતા જયંતભાઈ ઘરેચાની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી દરમિયાન પરિવારજનોની આંખમાંથી અશ્રુઓનો દરિયો વહ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application