આવો, તમાકુ મુક્ત સમાજ માટે સામૂહિક સંકલ્પ લઈ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ
દર વર્ષે વિશ્વમાં ૮૮ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે;ભારતમાં આ આંકડો ૧૩.૫ લાખનો છે
તમાકુનું સેવન શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે નુકસાનકારક છે જેના ઉપયોગથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વ્યસનમુક્તિ માટે આવેલા ૬૦% થી વધુ લોકોએ સફળતાપૂર્વક તમાકુ છોડ્યું
જામનગર તા.30 મે, દર વર્ષે ૩૧ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ તમાકુના ઉપયોગથી થતી ગંભીર હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેના ઉપયોગમાં ઘટાડો લાવવાનો છે. આ ઉપરાંત, તમાકુ નિષેધને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો વિશે સામાન્ય લોકોને જાગૃત કરવાનો પણ છે.
સામાજિક-સાંસ્કૃતિક પરિબળો, સામાજિક ધોરણો, જાહેરાતો અને તેની સુલભતા પણ તમાકુના વ્યસનમાં ખૂબ મોટો ફાળો ભજવે છે.તમાકુનું સેવન શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક એમ તમામ રીતે નુકસાનકારક છે. તેના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે, જેમાં ફેફસાં, મોં, ગળા, સ્વાદુપિંડ અને મૂત્રાશયનું કેન્સર મુખ્ય છે. અને તેના આંકડા ચોંકાવનારા છે.
દર વર્ષે વિશ્વમાં ૮૮ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે.ભારતમાં આ આંકડો ૧૩.૫ લાખનો છે.તમાકુમાં ૭,૦૦૦થી વધુ રસાયણો હોય છે, જેમાંથી ઓછામાં ઓછા ૭૦ કેન્સરકારક છે.તે હૃદયરોગ, સ્ટ્રોક, COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ), બ્રોન્કાઇટિસ, ગર્ભપાત અને પુરુષોમાં પ્રજનન અક્ષમતા જેવા પરિણામો સાથે પણ જોડાયેલું છે.ધૂમ્રપાન કરતા લોકોના સંપર્કમાં રહેલા બાળકો અને પરિચિતો પણ સેકન્ડહેન્ડ સ્મોકના લીધે મોટી બીમારીઓના ભોગ બને છે. એક સર્વેક્ષણ મુજબ, સમય જતાં તમાકુ તેના ૫૦% વપરાશકર્તાઓનો ભોગ લે છે.આર્થિક દ્રષ્ટિએ પણ તમાકુનો ઉપયોગ વ્યક્તિ અને પરિવારો પર નોંધપાત્ર બોજ લાદે છે.
તમાકુનો ઉપયોગ મોં અને દાંત સહિત મૌખિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર નકારાત્મક અસરો કરે છે, જેમાં ડાઘવાળા દાંત, પેઢાનો રોગ, શ્વાસની દુર્ગંધ, દાંતમાં સડો, શરીરની સાજા થવાની ક્ષમતામાં નબળાઈનો સમાવેશ થાય છે.
તમાકુ છોડવા માટેના વિવિધ ઉપાયો
વર્તણૂક થેરાપી અને કાઉન્સેલિંગ, સપોર્ટ જૂથો, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, દવાઓ, ડિજિટલ એપ્લિકેશનો જેમ કે WHO Quit Tobacco, START વગેરેની મદદથી તમાકુના વ્યસનને છોડી શકાય છે.
સરકાર દ્વારા તમાકુ વિરુદ્ધના પ્રયાસો
તમાકુ મુક્તિ માટે સરકારે વિવિધ નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.જે સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, ૨૦૦૩ હેઠળ જાહેર સ્થળે ધૂમ્રપાન પર પ્રતિબંધ, તમાકુ ઉત્પાદનોના પેકેટ પર ચિત્રાત્મક ચેતવણીઓ, ઈ-સિગારેટ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, ધૂમ્રપાન છોડવા, જાગૃતિ અને કાયદાના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પણ તમાકુના નિયંત્રણ પર ભાર મૂકે છે અને તમાકુ પર કરવેરા વધારી ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરે છે.
જનતા માટે ઉપલબ્ધ સેવાઓ
* National Tobacco Quit Line Services (NTQLS): હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૧૧૨ ૩૫૬ અને વેબસાઇટ: https://ntcp.mohfw.gov.in/national_tobacco_quit_line_services.
જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે પણ વ્યસનમુક્તિ કેન્દ્ર કાર્યરત છે, જેનો ૯૪૮૪૮૪૪૦૯૯ પર સંપર્ક કરી શકાય છે.
વ્યસનમુક્તિ અંગે જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજનું પ્રશંસનીય યોગદાન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech